Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
શિક્ષકો-વિદ્યાર્થીઓ દ્વારા દર્દીઓને માનસિક હૂંફ અપાશેઃ
જામનગર તા.૮ઃ પ્રધાનમંત્રીશ્રીના 'ટીબી મુક્ત ભારત' અભિયાનના આહ્વાનને પ્રતિસાદ આપતા, શેઠ કાકુભાઈ જીવણદાસ સ્ત્રી હુન્નર ઉદ્યોગશાળા-જોડિયા દ્વારા સંચાલિત શ્રીમતી યુ.પી. વ્યાસ કન્યા વિદ્યાલયમાં એનએસએસની વિદ્યાર્થિનીઓ માટે એક વિશેષ જાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થિનીઓને ટીબી રોગ વિશે જાગૃત કરવા અને દર્દીઓને સામાજિક તથા માનસિક ટેકો પૂરો પાડવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી હતી.
સેમિનારમાં ધોરણ ૧૧ અને ૧૨ની ૯૦થી વધુ વિદ્યાર્થિનીઓને ટીબીના લક્ષણો, નિદાન અને સારવાર વિશે ઊંડાણપૂર્વક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આરોગ્ય નિષ્ણાતોએ જણાવ્યું હતું કે ટીબી એ માયકોબેક્ટેરિયમ ટ્યુબરક્યુલોસિસ નામના બેક્ટેરિયાથી ફેલાતો ચેપી રોગ છે, જે મુખ્યત્વે ફેફસાંને અસર કરે છે. જોકે યોગ્ય અને સતત સારવારથી આ રોગ સંપૂર્ણપણે મટી શકે છે. આ અભિયાન અંતર્ગત શાળાની ૭ વિદ્યાર્થિનીઓ અને ૪ શિક્ષકોએ સ્વૈચ્છિક રીતે 'નિ-ક્ષય મિત્ર' તરીકે જોડાઈને ટીબીના દર્દીઓને સાયકોલોજીકલ સપોર્ટ આપવા માટેની પ્રેરણાદાયી પહેલ કરી હતી.
ટીબીની સારવાર લાંબી હોવાથી દર્દીને માનસિક સધિયારાની ખાસ જરૃર હોય છે, જે ભૂમિકા હવે આ નવયુવાન નિ-ક્ષય મિત્રો ભજવશે. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.નુપુર પ્રસાદ અને જિલ્લા ક્ષય અધિકારી ડો.પંકજકુમાર સિંઘના માર્ગદર્શન હેઠળ આયોજિત આ કાર્યક્રમમાં તાલુકા હેલ્થ ઓફિસર ડો.સંજય સોમૈયાની દેખરેખ હેઠળ જિલ્લા એસ.બી.સી.સી. ચિરાગ પરમાર, ટીબી સુપરવાઈઝર નિકુંજભાઈ પાગડાર અને આરોગ્ય કર્મચારી મનીષભાઈ દ્વારા મહત્ત્વનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા શાળાના આચાર્યા ક્રિષ્નાબા ચુડાસમા તથા શિક્ષક ગણે જહેમત ઉઠાવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial