Advertisement
Author: નોબત સમાચાર

પી.એમ. સ્વનિધિ યોજના અન્વયે શ્રેષ્ઠ કામગીરીમાં જામનગરને મળ્યો દ્વિતીય ક્રમ

ગાંધીનગરમાં યોજાયેલા સમારોહમાં જામ્યુકોને એવોર્ડ અર્પણ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૮ઃ ગુજરાત સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા 'શહેરી વિકાસ વર્ષ-ર૦રપ'ની ઉજવણીના ભાગ રૃપે આજે ગાંધીનગરમાં 'સ્વનિધિ સમારોહ'નું આયોજન કરવામાં આવ્યું હતું.

આ સમારોહમાં જામનગર મહાનગરપાલિકાને કેન્દ્ર સરકારની મહત્ત્વકાંક્ષી પીએમ સ્વનિધિ યોજનાના અમલીકરણમાં શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ રાજ્યની મેજર સિટીની કેટેગરીમાં દ્વિતીય ક્રમ પ્રાપ્ત થયો છે.

ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી-ગાંધીનગરમાં યોજાયેલા આ કાર્યક્રમમાં રાજ્યના મંત્રીઓ, અધિકારીઓની ઉપસ્થિતિમાં જામનગર મહાનગરપાલિકાને આ એવોર્ડ એનાયત થયો હતો.

જામનગર મહાનગરપાલિકાના આસી. કમિશનર (વહીવટ) મુકેશ વરણવાએ આ એવોર્ડ સ્વીકાર્યો હતો.

પીએમ સ્વનિધિ યોજના અંતર્ગત જામનગરના નાના અને ફેરિયા વ્યવસાયકારોને લોન સહાય પૂરી પાડવા અને તેમના આર્થિક ઉત્ધાન માટે જામનગર મહાનગરપાલિકાએ સરાહનીય કામગીરી કરી છે. જેની નોંધ રાજ્ય સ્તરે લેવામાં આવી છે. આ સિદ્ધિ બદલ મ્યુનિ. કમિશનર અને તેની સમગ્ર ટીમને શુભેચ્છાઓ પાઠવાઈ છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh