Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જમીનના વારસાઈ વિવાદમાં આવ્યો વળાંકઃ
જામનગર તા. ૮ઃ જામનગરના એક આસામીએ દત્તક પુત્ર તરીકે કરોડોની એક જમીનમાં પોતાનો હિસ્સો હોવાનો દાવો રજૂ કર્યાે છે. તે કાનૂની લડત દરમિયાન અદાલતમાં કૌટુંબિક આંબો રજૂ કરવા ઉપરાંત બારોટના ચોપડા રજૂ કરાયા છે.
જામનગરના સરૃ સેક્શન રોડ પર આવેલા પોલીસ હેડકવાર્ટર પાછળ ટીપીની ખૂલી જમીનના વારસાઈ અંગે જામનગરની કોર્ટમાં જુદા જુદા ત્રણ કેસ ચાલી રહ્યા છે. જ્યારે હાઈકોર્ટ તથા સુપ્રિમ કોર્ટમાં પણ કેસ ચાલે છે.
આ પ્રકરણમાં દત્તક પુત્ર ગંગદાસ હંસરાજ દ્વારા હિસ્સામાં દાખલ કરવા અંગે અદાલતમાં દાવો કરાયો છે. તેઓની સહમતી વગર હાઈકોર્ટમાં ગુજરનાર હંસરાજ તથા ગુજરનાર કેશવજીના વારસોએ સમાધાન કર્યાની જાણ થતાં ગંગદાસે કન્ટેમ્પટની કાર્યવાહી કરી હતી. જેમાં હાઈકોર્ટે દત્તક પુત્રને આ સમાધાન બંધનકર્તા ન હોવાનો નિર્ણય આપ્યો હતો.
ગંગદાસના કુદરતી પિતા ગુજરનાર કેશવજી છે અને દત્તક પિતા ગુજરનાર હંસરાજ છે પરંતુ દત્તક પુત્ર અંગે હંસરાજભાઈના ચાર પુત્રી નામુકર્રર જતા વિવાદ થયો છે. દત્તક પુત્ર ગંગદાસે કૌટુંબિક આંબો રજૂ કરવા ઉપરાંત વહીવંચા બારોટના ચોપડે પણ પોતાની દત્તક પુત્ર અંગેની નોંધ હોવાનું અદાલત સમક્ષ રજૂ કર્યું છે. ગંગદાસ તરફથી વકીલ હિતેન ભટ્ટ, ગિરીશ ગોજીયા, હેમાંશુ સોલંકી રોકાયા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial