Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળિયામાં જલારામ મંદિરના નવીનિકરણના દાતા કુંડલિયા પરિવારનો સન્માન સમારંભ

સ્વ. નટવરલાલ કુંડલિયાના સ્મરણાર્થે

                                                                                                                                                                                                      

ખંભાળિયાના જલારામ મંદિર (અન્ન ક્ષેત્ર) નું નવીનિકરણ કરવા મંદિરના પૂર્વ પ્રમુખ સ્વ. નટવરલાલ કુંડલિયાના સ્મરણાર્થે તેમના પરિવાર (હસ્તેઃ પરેશભાઈ કુંડલિયા) નું તરફથી માતબર રકમનો આર્થિક સહયોગ આપવામાં આવ્યો હતો. આ સહયોગ સંદર્ભમાં ગં.સ્વ. કંચનબેન નટવરલાલ કુંડલિયા તથા કુંડલિયા પરિવારનું સન્માન કરવાનો સમારંભ યોજાયો હતો. જલારામ મંદિર ટ્રસ્ટના પ્રમુખ ભાવેશભાઈ વિઠ્ઠલાણીએ સ્વાગત પ્રવચન કર્યું હતું. ટ્રસ્ટી વિનોદભાઈ પંચમતિયાએ કાર્યક્રમની રૃપરેખા રજૂ કરી હતી. પરેશભાઈ કોટક, દિપકભાઈ ચંદારાણા તથા પરિવારના સભ્યોનું સંસ્થા દ્વારા શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. ટ્રસ્ટના પૂર્વ પ્રમુખ ધીરેનભાઈ બદિયાણી, રમણિકભાઈ મોટાણી, કિરણબેન સરપદડિયા, મહેન્દ્રભાઈ મોટાણીએ દાતા પરિવારની સેવા પ્રવૃત્તિને બિરદાવી હતી. ટ્રસ્ટી રાજ પાબારીએ સૌનો આભાર માન્યો હતો. આ સાથે આર્કિટેક અશોકભાઈ કાનાણી, પરેશભાઈ દાવડા, મનોજભાઈ બરછા, ભાયાભાઈ ગઢવી,ડો. હેત મશરૃ, ભાયાભાઈ આહિર કે જેઓ મંદિરમાં સેવા કાર્યોમાં સહકાર આપે છે. તેમનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh