Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મોટી ખાવડીથી ખંભાળિયા વચ્ચે થયો હતો અકસ્માતઃ
જામનગર તા. ૮ઃ જામનગરના એક આસામીએ ગ્રુપ માસ્ટર પોલિસી મેળવ્યા પછી તેઓનું અકસ્માતમાં નિધન થયું હતું. તેમના પત્નીએ વળતર મેળવવા કરેલો ક્લેઈમ રદ્દ થતાં ફોરમમાં ફરિયાદ થઈ હતી. ફોરમે વ્યાજ સાથે વળતરનો હુકમ કર્યાે છે.
જામનગરના મહેન્દ્રભાઈ મથ્થર નામના આસામીએ નીપા બુવા હેલ્થ ઈન્સ્યોરન્સ કંપની પાસેથી ગ્રુપ માસ્ટર વીમા પોલિસી મેળવી હતી.
ત્યારપછી ઓગસ્ટ ૨૦૨૪માં મહેન્દ્રભાઈ મોટરસાયકલ પર મોટી ખાવડીથી ખંભાળિયા જતા હતા ત્યારે માર્ગમાં બાઈક સ્લીપ થતાં ગંભીર ઈજા થવાથી તેઓનું મૃત્યુ નિપજ્યું હતું. તેમના પત્ની સોનલબેન મથ્થરે વળતર મેળવવા વીમા કંપની સમક્ષ ક્લેઈમ કર્યાે હતો. વીમા કંપનીએ તે ક્લેઈમ રદ્દ કરતા ગ્રાહક સુરક્ષા ફોરમમાં ફરિયાદ કરવામાં આવી હતી. ફોરમે ફરિયાદ મંજૂર કરી રૃા.૩૦ લાખ છ ટકાના વાર્ષિક વ્યાજ સાથે અને ફરિયાદ ખર્ચ તથા ત્રાસ બદલ રૃા.પ હજાર અલગથી ચૂકવવા વીમા કંપનીને હુકમ કર્યાે છે. ફરિયાદી તરફથી વકીલ વસંત ગોરી, દીપક નાનાણી, નેહલ સંચાણીયા રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial