Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
૧૪માંથી ૧૨ આરોપીના રહેણાંકના સ્થળે કરવામાં આવી ચકાસણીઃ
જામનગર-જોડિયા ધાર્ગ પર આવેલા સચાણા ગામમાં ગયા સપ્તાહે માછીમારીની જાળના બાકી પૈસાના મામલે ૧૪ શખ્સના ટોળાએ એક પરિવાર પર હુમલો કરી આડેધડ માર મારતા એક યુવાનની હત્યા થઈ ગઈ હતી. ટોળા સામે પોલીસમાં ફરિયાદ કરાયા પછી પંચકોશી એ ડિવિઝન પોલીસે આરોપીઓની ધરપકડનો દૌર શરૃ કર્યાે હતો. તે પછી ગઈકાલે પીઆઈ એમ.એન. શેખ તથા પોલીસ ટીમ અને પીજીવીસીએલની ટીમ દ્વારા સંયુક્ત રીતે સચાણામાં આવેલા ૧૪ આરોપીના રહેણાંક મકાનમાં વીજચોરી અંગે ચકાસણી કરવામાં આવી હતી. જેમાં ૧૨ આરોપીના મકાનમાંથી વીજચોરી ઝડપાઈ ગઈ છે. પોલીસ તથા વીજ કંપનીની ટીમે ઉમર દાઉદ બુચડ, જાફર ઉમર, ઈમરાન ઉમર, અફઝલ ઉમર તેમજ સુલ્તાન જાકુ બુચડ, જાવેદ જુમા જામ, જુમા અલી જામ, જાકીરહુસેન જુમા જામ સામે પણ ગેરકાયદે વીજજોડાણ અંગે ગુન્હો નોંધવાની તજવીજ કરાઈ છે. જ્યારે શબ્બીર અસગર બુચડ, જીલાની અસગર બુચડના મકાનમાંથી પણ વીજચોરી મળી આવી હતી. તમામ સામે વીજ અધિનિયમની કલમ ૧૩૫ હેઠળ કુલ ચાર ગુન્હા નોંધાયા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial