Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સુરજકરાડીમાંથી વર્લીબાજ ઝડપાયોઃ
જામનગર તા. ૮ઃ જામનગરના અંબાજીના ચોકમાં ગઈકાલે સાંજે જાહેરમાં ઘોડીપાસા વડે જુગાર રમતા ત્રણ શખ્સને પોલીસે પકડી પાડ્યા છે. જ્યારે સુરજકરાડીમાંથી એક વર્લીબાજ મળી આવ્યો છે.
જામનગરના નાગનાથ નાકા પાસે અંબાજીના ચોકમાં ગઈકાલે સાંજે કેટલાક શખ્સો એકઠા થઈ ઘોડીપાસા વડે જુગાર રમતા હોવાની બાતમી ૫રથી સિટી એ ડિવિઝનના સ્ટાફે દરોડો પાડ્યો હતો. ત્યાં ઘોડીપાસા પાસા ફેંકી જુગાર રમતા દીપકભાઈ પરસોત્તમભાઈ ચાવલીયા, મહંમદહુસેન ગફારમિંયા નાગાણી ઉર્ફે મમૂડી, ઈમરાન મજીદભાઈ દરજાદા નામના ત્રણ શખ્સ ઝડપાઈ ગયા હતા. પોલીસે પટમાંથી રૃા.૧૦૬૫૦ રોકડા કબજે કરી જુગારધારાની કલમ ૧ર હેઠળ ગુન્હો નોંધ્યો છે.
ઓખામંડળના મીઠાપુર નજીક સુરજકરાડીમાં ગઈકાલે બપોરે જાહેરમાં ઉભા રહી વર્લીના આંકડા લખતા મેહુલભા પોલાભા માણેક ઉર્ફે કાશી નામના શખ્સને પોલીસે દબોચી લઈ રોકડ, વર્લીના આંકડા લખેલી ચિઠ્ઠી કબજે કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial