Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર ફિઝિયોથેરાપીસ્ટ એસો. ના
જામનગર તા. ૮ઃ જામનગર શહેરના ફિઝિયોથેરાપી ક્ષેત્રના ઉત્થાન અને વ્યાવસાયિક પ્રવૃત્તિઓને વેગ આપવા માટે કાર્યરત 'જામનગર ફિઝિયોથેરાપીસ્ટ ઓસોસિએશન' દ્વારા વર્ષ ૨૦૨૬ના નવા કાર્યકારી મંડળની રચના અનુસાર સંસ્થાની આગામી વર્ષની જવાબદારીઓ સંભાળવા માટે અનુભવી તથા ઉત્સાહી તબીબોની સર્વાનુમત્તે પસંદગી કરવામાં આવી છે. જેમાં પ્રમુખ ડો.ભાર્ગવ શુકલ, ઉપપ્રમુખ ડો. અમતુલ્લાહ હિરાણી, સેક્રેટરી ડો. અમીન સફિયા, જોઈન્ટ સેક્રેટરી ડો. બલવંત ડોડીયા, ટ્રેઝરર ડો. નિધિ દવે અને જોઈન્ટ ટ્રેઝરર ડો. શ્રૃતિ કોટેચાની વરણી કરવામાં આવી હતી. આ નવનિયુક્ત હોદ્દેદારોની ટીમે જણાવ્યું હતું કે આગામી વર્ષમાં એસોસિએશન દ્વારા ફિઝિયોથેરાપી ક્ષેત્રે જાગૃતિ લાવવા, શૈક્ષણિક સેમિનારો યોજવા અને સામાજિક સેવાકીય પ્રવૃત્તિઓ પર વિશેષ ભાર મુકવામાં આવશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial