Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દોઢ મહિનાથી થાંભલો વાયરના આધારે!
જામનગર તા.ર૫ : ધ્રોલ નજીક બરનાલા વાડી વિસ્તાર પાસે બે આખલા બાખડી પડતા એક વીજ થાંભલાનો ખોં નીકળી ગયો છે. ભાંગી પડેલા આ થાંભલાને બદલવા માટે કરાયેલી રજૂઆત પછી બે વખત સર્વે થયો હોવા છતાં દોઢ મહિનાથી આ થાંભલો બદલાવવામાં આવતો નથી.
ધ્રોલના બરનાલા વાડી વિસ્તારમાં વીજ કંપની દ્વારા ઉભા કરવામાં આવેલા થાંભલા સાથે બે બાખડી પડેલા આખલા અથડાઈ પડતા આ થાંભલો તૂટી પડ્યો હતો અને તારના આધારે ટીંગાતો હતો. આ બાબતની ખેડૂતોએ વીજ કંપનીને જાણ કર્યા પછી અંદાજે દોઢેક મહિના સુધી તે થાંભલો બદલવામાં આવ્યો નથી. બે વખત વીજ કંપનીના અધિકારીઓ દ્વારા સર્વે કરવામાં આવ્યા ૫છી પણ આ થાંભલો બદલવામાં ન આવતા ત્યાં ખેડૂતોએ જીવના જોખમે કામ કરવું પડી રહ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial