Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના શ્રીનગરમાં ફસાયેલા ૬૦ થી વધુ લોકો જમ્મુ પહોંચ્યાઃ ઉચાટ સાથે સુરક્ષિત

મોરારિબાપુની કથા પહલગામ હુમલા પછી રોકી દેવાઈ હતીઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. રપઃ જમ્મુ-કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલો થયો છે. ત્યારે જામનગરથી કથા સાંભળવા ગયેલા અનેક લોકો ત્યાં ફસાયા છે.

જામનગરના ૬૦ થી ૭૦ લોકો પણ શ્રીનગરમાં કથા સાંભળવા ગયા હતાં, જો કે મળતી માહિતી મુજબ તેઓ જમ્મુ પહોંચી ગયા છે અને સુરક્ષિત છે.

મોરારિબાપુની કથા શ્રીનગરમાં ચાલતી હતી અને દેશભરમાંથી લોકો તેની કથા શ્રવણ કરવા ગયા હતાં. જેમાં જામનગરના પણ ૬૦ થી ૭૦ લોકોનો સમાવેશ થાય છે. દરમિયાન પહલગામમાં આતંકવાદી હુમલો થતા કથાને રોકી દેવામાં આવી છે.

આથી જામનગર સહિતના લોકો ત્યાં ફસાયા હતાં, જો કે જામનગરના પ્રદિપભાઈ રાવલ સાથે ટેલિફોનિક વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે આ દંપતી ગત્ સાંજે શ્રીનગરથી જમ્મુ પહોંચ્યા છે. તેમની સાથે અન્ય પણ જામનગરના લોકોને ત્યાંથી મુસાફરીની ટિકિટ મળતા તેઓ જામનગર પરત આવવા માટે રવાના થશે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh