Advertisement
Author: નોબત સમાચાર

નવા બનતા એપાર્ટમેન્ટના ત્રીજા માળેથી લપસી પડેલા શ્રમિકનું સારવારમાં મૃત્યુ

સેફ્ટી ઝાળી લગાવતી વેળાએ સર્જાઈ દુર્ઘટનાઃ

                                                                                                                                                                                                      

જામનગર તા.રપ : જામનગરના નૂરી ચોકડી વિસ્તાર પાસે નવા બનતા એક એપાર્ટમેન્ટમાં કામ પર રહેલા એક પરપ્રાંતીય શ્રમિક ગઈ કાલે ત્રીજા માળે સેફ્ટી ઝાળી લગાવતી વખતે લપસી પડતા જમીન પર પટકાયા હતા. ગંભીર ઈજા પામેલા આ શ્રમિકનું મૃત્યુ નિપજ્યું છે.

જામનગરના નૂરી ચોકડી વિસ્તારમાં નવા બની રહેલા સીલ્વર સ્કાય એપાર્ટમેન્ટમાં કડીયાકામ માટે આવીને રહેતા મૂળ મધ્યપ્રદેશના વતની રીકલાભાઈ સુરજા ભાઈ મોરી (ઉ.વ.૩૦) નામના શ્રમિક ગઈકાલે સવારે તે એપાર્ટમેન્ટમાં સેફ્ટી ઝાળી લગાવવા માટે ત્રીજા માળે ચઢયા હતા.

આ વેળાએ કોઈ રીતે પગ લપસી જતાં આ યુવાન જમીન પર પટકાઈ પડ્યા હતા. છાતી તથા ખભ્ભામાં ઈજા પામેલા રીકલાભાઈને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં તેમનું ટૂંકી સારવાર પછી મૃત્યુ નિપજ્યું છે. મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના વતની કમલેશભાઈ લસરીયાભાઈ વાસકેલાએ પોલીસને જાણ કરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh