Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના રવાણી ખીજડિયાની માસુમ બાળકીનું રાજકોટની હોસ્પિટલમાં સારવારમાં મૃત્યુ

તબીબી સારવાર સામે આક્ષેપોઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. રપઃ જામનગર જિલ્લાના રવાણી ખીજડિયા ગામની બાળકીનું તાવની બીમારીની સારવાર દરમિયાન રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મૃત્યુ થતા તબીબી બેદરકારીનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

રવાણી ખીજડિયા ગામના જનકસિંહ જાડેજાની માસુમ પુત્રી મિનાક્ષીબા (ઉ.વ. ૧૧ માસ) ને તાવની બીમારીની સારવાર માટે રાજકોટની માં શારદા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.

આ બાબતની સારવાર માટે જરૂરી તપાસમાં ઈન્ફેક્શન થયું હોવાથી ઓપરેશન કરવામાં આવ્યું હતું જ્યાં તેણીને વધુ ઈન્ફેક્શન ફેલાઈ જતા અન્ય હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવી હતી, જ્યાં તેનું મૃત્યુ થયું હતું.

આથી પરિવારજનોએ તબીબી સારવારમાં બેદરકારીનો આક્ષેપ કર્યો હતો અને મૃતદેહ સ્વીકારવાનો પણ ઈન્કાર કરી દીધો હતો. આખરે પોલીસે દરમિયાનગીરી કરી યોગ્ય તપાસની ખાતરી આપતા મામલો થાળે પડ્યો હતો. આ કેસ સિવિલના મેડિકલ બોર્ડને સુપ્રત કરવામાં આવનાર હોવાનું જાણવા મળે છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh