Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દિવ્યાંગોના પ્રશ્નો ઉકેલવા ખાતરીઃ
જામનગર તા. ૨૫: વડાપ્રધાને દિવ્યાંગ સમુદાયને તમામ સ્તરે વિશેષ તકો અવસર આપ્યા છે. અને સમાજની મુખ્ય ધારામાં સમાવેશ કરવા અભિગમ અપનાવ્યો છે. જયારે જામનગરમાં દિવ્યાંગોને નડતા પ્રશ્નો અંગે ધારાસભ્ય દિવ્યેશ અકબરીના લોક દરબારમાં રજુઆત કરવામાં આવી હતી. દિવ્યાંગ મહિલા અધિકાર સમિતિના પ્રમુખ પ્રફુલ્લાબેન મંગે અને આશાદિપ વિકલાંગ કલ્યાણકારી ટ્રસ્ટના પ્રમુખ સતાર દરજાદાએ આ રજુઆતમાં જણાવેલ છે કે, દિવ્યાંગોને એક જ દિવસમાં સર્ટિફિકેટ ચકાસણીઓ મૂલ્યાંકન કરી ઈસ્યુ કરવા, રેશનકાર્ડ માટે લાભવાંતિત કરવા, જિલ્લા કક્ષાની સમિતિમાં નિમણૂક આપવા સહિતના મુદઓ રજુ કરાયા હતાં. આ તમામ પ્રશ્નોના ઉકેલ માટે ધારાસભ્યએ ખાત્રી આપી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial