Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સમસ્ત કચ્છી ભાનુશાલી જ્ઞાતિના કુળદેવી હિંગલાજ માતાજી અને સદ્ગુરૂ શ્રી ઓધવરામ મહારાજ, શ્રી વાલરામ મહારાજ, શ્રી વ્હાલરામેશ્વર મહાદેવ, શીતલા માતાજી તથા શ્રીકૃષ્ણ ભગવાનના મંદિરોના પાટોત્સવનો દ્વિદિવસીય પ્રસંગ ભક્તિભાવપૂર્વક ઉજવવામાં આવ્યો હતો. પ.પૂ. સંત શ્રી હરિદાસજી મહારાજશ્રીની પાવન ઉપસ્થિતિમાં સંતવાણીનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મુંબઈના ભજનિક જીતુભાઈ વિશરિયા અને દિપકભાઈ ભદ્રાએ સંતવાણી રજૂ કરી હતી. હોમયજ્ઞ વસ્ત્રાભૂષણ શણગાર, નૂતન ધ્વજારોહણ, મહાઆરતી, હરિદ્વારથી પ્રસ્થાન ઓધવજ્યોત રથનું સામૈયું કરી પૂજા કરવામાં આવી હતી. હજારો ભાવિકો, શણગારેલા રથ, ડી.જે. અને સૌર્ય ગીતો, ભક્તિ ગીતોના નાદ્ સાથે ઓધવધામથી શોભાયાત્રાનું પ્રસ્થાન થયું હતું. જે હિરજી મિસ્ત્રી રોડ થઈ સત્યમ્ કોલોની અંડર બ્રીજ પાસે આવેલા ઓધવ ભાનુશાલી પાર્ટી પ્લોટમાં પહોંચી હતી જ્યાં તેનું સન્માન થયું હતું. આ શોભાયાત્રામાં ભાનુશાલી સમાજની બાળાઓએ ખાસ વેશભૂષામાં સજ્જ થઈને દેશભક્તિની કૃતિઓ રજૂ કરી હતી. ૪૧ મા મંદિર પાટોત્સવમાં આર્થિક સહયોગ આપનાર ભાનુશાલી પરિવારો તથા સમાજના દાતાશ્રીઓ માટે સત્કાર સમારોહ યોજવામાં આવ્યો હતો. પંદર હજાર જેટલા જ્ઞાતિજનો માટે મહાપ્રસાદ-ભોજનની વ્યવસ્થા ભાનુશાલી પ્લોટમાં કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા સમાજના પ્રમુખ મનિષભાઈ કટારિયાની આગેવાની હેઠળ કારોબારી કમિટીએ જહેમત ઊઠાવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial