Advertisement
Author: નોબત સમાચાર

મોમાઈનગરમાં સરકારી જમીનમાં ગેરકાયદે બાંધકામ કરનાર સામે પગલાં ભરો

લતાવાસીઓની કલેક્ટરને રજૂઆત કરાઈ

                                                                                                                                                                                                      

જામનગર તા. રપઃ સરકારી તથા જામનગર મહાનગરપાલિકાની જમીન ઉપર દબાણ કરનારાઓ સામે લેન્ડ ગ્રેબીંગ અન્વયે ફરિયાદ નોંધી કાયદેસર કાર્યવાહી કરવાની માંગણી સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું.

ગાંધીનગરમાં મોમાઈનગરના રહેવાસીઓ દ્વારા આવેદનપત્ર પાઠવી રજૂઆત સાથે માંગણી કરવામાં આવી હતી કે, મોમાઈનગરમાં સરકારી શાળા નજીકના વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલમાં અવરોધ થાય તે રીતે ગેરકાયદે બાંધકામ કરી લેવાયું છે, અને સરકારી જમીનમાં દબાણ કરાયું છે.

ખાસ કરીને રહેણાંક મકાનના બાંધકામ કરવામાં આવ્યું છે. પરિણામે વરસાદી પાણી લોકોના ઘરમાં ઘૂસે છે અને માલમિલકતને નુક્સાન થાય છે.

આથી ગેરકાયદે બાંધકામો દૂર કરીને વરસાદી પાણીના નિકાલ માટેનો માર્ગ ખુલ્લો કરવો જોઈએ. ખાસ કરીને આવા દબાણકારો સામે લેન્ડ ગ્રેબીંગના કાયદા હેઠળ ફરિયાદ નોંધવી જોઈએ અને બાંધકામ તોડી પાડવા જોઈએ.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh