Advertisement
Author: નોબત સમાચાર

સગીરાના અપહરણના ગુન્હામાં હાઈકોર્ટમાંથી થઈ જામીનમુક્તિ

ખાસ અદાલતે રદ્દ કરી હતી અરજીઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૫ : જામનગરની એક સગીરાના અપહરણના ગુન્હામાં ઝડપાયા પછી આરોપીએ જામીનમુક્ત થવા હાઈકોર્ટમાં કરેલી અરજી અદાલતે ગ્રાહ્ય રાખી છે.

જામનગરના એક પરિવારની સગીર વયની પુત્રી પોતાના ઘરેથી ભેદી સંજોગોમાં ગુમ થઈ જતાં તેણીના પરિવારે શોધ શરૂ કરી હતી. જેમાં અવેશ કુંગડા નામનો શખ્સ પણ લાપત્તા હોવાનું જણાઈ આવતા આ શખ્સ તે સગીરાને નસાડી ગયો હોવાની આશંકા પરથી પોલીસમાં ફરિયાદ કરાઈ હતી.

પોલીસે ગુન્હો નોંધી શરૂ કરેલી તપાસમાં આરોપી ઝડપાઈ જતા બીએનએસ તથા પોકસો એક્ટ હેઠળના ગુન્હામાં ધરપકડ કરાઈ હતી. જેલહવાલે થયેલા આ આરોપીએ કરેલી જામીન અરજી રદ્દ કરાતા તેણે હાઈકોર્ટમાં અરજી કરી હતી. હાઈકોર્ટે તેને જામીન પર મુક્ત કરવાનો હુકમ કર્યાે છે. આરોપી તરફથી વકીલ મોહસીન ગોરી, તન્મય કારીયા રોકાયા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh