Advertisement
Author: નોબત સમાચાર

પટેલ કોલોની તેમજ રણજીતસાગર માર્ગે ધંધાર્થીઓને દૂર ખસેડી, માલસામાન જપ્ત કરાયો

મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા સક્રિયઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. રપઃ જામનગરના પટેલ કોલોની અને રણજીતસાગર પાસે જાહેર માર્ગ ઉપર દબાણ કરનારા ખાણી-પીણીના ધંધાર્થીઓને દૂર ખસેડવામાં આવ્યા હતાં અને કેટલોક માલસામાન જપ્ત કરવામાં આવ્યો હતો.

જામનગર મહાનગર પાલિકાની એસ્ટેટ શાખા દરરોજ જુદા જુદા વિસ્તારોમાં દબાણ હટાવ ઝુંબેશ કરવામાં આવી રહી છે.

ગઈ સાંજે પટેલ કોલોની, ગેલેરિયા કોમ્પ્લેક્સવાળી શેરીમાંથી ખાણી-પીણીના ધંધાર્થીઓને દૂર કરી જાહેર રસ્તો ખુલ્લો કરાવાયો હતો.

આ ઉપરાંત આજે સવારે ફરી એક વખત રણજીત સાગર માર્ગ ઉપરથી ધંધાર્થીઓને દૂર ખસેડી રસ્તો ખુલ્લો કરાવાયો હતો અને કેટલીક રેંકડીઓ, ટેબલ-ખુરશી અને અન્ય માલસામાન જપ્ત કર્યો હતો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh