Advertisement
Author: નોબત સમાચાર

જામનગરની મહાપ્રભુજીની બેઠકમાં પ્રાક્ટ્ય મહોત્સવની ઉજવણી કરાઈ

                                                                                                                                                                                                      

જામનગરમાં ગઈકાલે અખંડ ભૂમંડલાચાર્ય જગદ્દગુરૂ શ્રીમદ્દ વલ્લભાચાર્જી શ્રી મહાપ્રભુજીના ૫૪૮માં પ્રાકટ્ય મહોત્સવની ભક્તિભાવથી ઉજવણી કરવામાં આવી હતી. જામનગરમાં આવેલા પ૬ માં મહાપ્રભુજીની બેઠકમાં વહેલી સવારથી જ ભક્તિમય વાતાવરણમાં પ્રાકટ્ય ઉત્સવ મનાવવામાં આવ્યો હતો. ભાટિયા મહાજન દ્વારા સંચાલત મહાપ્રભુજી બેઠકમાં ટ્રસ્ટિ મંડળ દ્વારા  મંગળા દર્શન, શ્રૃંગાર દર્શન, વૈષ્ણવો માટે જારીજી ભરવા માટેનું આયોજન, મહાપ્રભુજીની પાલખી યાત્રા યોજાઈ હતી. પાલખી યાત્રા પૂર્ણ થયા પછી દર્શનાર્થે આવેલા તમામ વૈષ્ણવો માટે પ્રસાદ તથા વરીયાળીના સરબતનું પણ વિતરણ કરાયું હતું. બપોરે મોટી હવેલીના પ.પૂ. શ્રી વલ્લભરાયજી મહોદય દ્વારા તીલક વિધી યોજાઈ હતી અને ત્યાર પછી સાંજે પણ મોટી સંખ્યામાં વેષ્ણવોએ પ્રાક્ટ્ય ઉત્સવ નિમિત્તે ધાર્મિકોત્સવનો લાભ લીધો હતો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh