Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામ્યુકોના તંત્રો વચ્ચે સંકલનનો અભાવ કે બીજું કાંઈ?
જામનગર તા. રપઃ જામનગર મહાનગરપાલિકામાં એક બીજી શાખામાં સંકલનનો સદંતર અભાવ જોવા મળે છે, જો કે સંકલન સમિતિની બેઠક મળી છે, પરંતુ શું સંકલન થાય છે તેની માહિતી મળતી નથી.
રતનબાઈ મસ્જિદ વિસ્તારમાં રાત્રે રોડ રિ૫ેર કરવામાં આવ્યો, જેને બીજા જ દિવસે સવારે ખોદી નાંખવામાં આવ્યો હતો.
જામનગરના રતનબાઈ મસ્જિદ વિસ્તારમાં ચાલતા કામના સ્થળે તા. ર૩ ની રાત્રે પેચવર્ક એટલે કે રોડની મરામત કામગીરી કરવામાં આવી હતી, અને બીજા દિવસે જ સવારના રોડમાં ખોદકામ શરૂ કરવમાં આવ્યું હતું. એટલે કે રાત્રે કરેલ પેચવર્ક સવારે ફરી વખત તોડવામાં આવ્યું હતું.
નિયમ એવો છે કે રોડ-રસ્તાના કામ માટે સિવિલ શાખાએ ભૂગર્ભ ગટર શાખા-વોટર વર્કસ શાખાના અભિપ્રાય મેળવવાનો હોય છે, પરંતુ સંકલનના અભાવે પ્રજાના પૈસાની ઘોર ખોદવામાં આવી રહી છે. આ અંગે વિપક્ષના કોર્પોરેટર રચનાબેન નંદાણિયા આ પ્રશ્નના ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, જામનગર મહાનગર-પાલિકામાં કમિશનર દ્વારા સંકલન સમિતિની બેઠક યોજવામાં આવી છે. આમ છતાં આ છબરડા થતા રહે છે, ત્યારે સંકલન સમિતિમાં શું થતું હશે? એ તો રામ જાણે
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial