Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
હાઈકોર્ટે મંજૂર કરી અરજીઃ
જામનગર તા.રપ : જામનગરના મોટી ખાવડી ગામમાં ચાર મહિના પહેલાં એક પરિણીતાએ આત્મહત્યા કરી લીધી હતી. તેણીના પતિ, સાસુ, સસરા સામે આત્મ હત્યાની દુષ્પ્રેરણાનો ગુન્હો નોંધાયો હતો. તે કેસમાં પતિ દ્વારા કરાયેલી જામીન અરજી હાઈકોર્ટે મંજૂર કરી છે.
જામનગર-ખંભાળિયા રોડ પર મોટી ખાવડીમાં રહેતા નિરૂકુમારી હીરામણી ચૌહાણ નામના પરિણીતાએ ડિસેમ્બર મહિનામાં ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી.
તેણીના ભાઈએ ઘરકામ તેમજ શંકા રાખી તેણીના બહેનને મરી જવા માટે મજબૂર કરવા અંગે પતિ હીરામણી ઉમેશ તેમજ સાસુ, સસરા સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. આરોપી પૈકીના હીરામણીએ જામીનમુક્ત થવા કરેલી અરજી નામંજૂર થતાં તેણે હાઈકોર્ટમાં અરજી કરી હતી. હાઈકોર્ટે તેને રૂ.૧૦ હજારના જામીન પર મુક્ત કરવા હુકમ કર્યાે છે. આરોપી તરફથી વકીલ લખધીરસિંહ વી. ગોહિલ રોકાયા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial