Advertisement
Author: નોબત સમાચાર

સળગી ઉઠેલા ટ્રકનું વળતર ચૂકવવા ફોરમે કર્યાે આદેશ

વ્યાજ પણ ચૂકવવા કરાયો હુકમઃ

                                                                                                                                                                                                      

જામનગર તા.રપ : ઉદયપુર પાસે ગયા વર્ષે એક ટ્રક સળગી ઉઠ્યો હતો તેનું વળતર વીમા કંપનીએ ન ચૂકવતા ગ્રાહક ફોરમમાં ફરિયાદ કરાઈ હતી. ફોરમે વ્યાજ સાથે વળતર ચૂકવવા આદેશ કર્યાે છે.

જામનગરમાં રામરાજ્ય રોડલાઈન્સ નામની પેઢીનો ટ્રક ગઈ તા.૧૪-૪-૨૪ના દિને જયપુરથી પરત આવતો હતો ત્યારે માર્ગમાં ટોલનાકા પાસે  આગ લાગી હતી. જેમાં ટ્રક સળગી ગયો હતો.

ટ્રાન્સપોર્ટ પેઢી દ્વારા તેનું વળતર મેળવવા બજાજ આલિયાન્સ જનરલ ઈન્સ્યુ. કંપની પાસે ક્લેઈમ કરાતા ક્લેઈમ રદ્દ થયો હતો. તેથી ગ્રાહક તકરાર ફોરમમાં વીમા કંપની સામે ફરિયાદ કરાઈ હતી. તે ફરિયાદ ચાલી જતાં ફોરમે રૂ.૨૩,૫૫,૪૨૯ની રકમ છ ટકા વ્યાજ સાથે તથા રૂ.પ હજાર ફરિયાદ ખર્ચ પેટે ચૂકવી આપવા વીમા કંપનીને હુકમ કર્યાે છે. ફરિયાદી તરફે વકીલ સોહીલ બેલીમ, હર્ષિલ રાબડીયા, સલમાન શેખ રોકાયા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh