Advertisement
Author: નોબત સમાચાર

પતિની શંકા-કુશંકાથી કંટાળી જઈ પરિણીતાએ પિતાના ઘેર ખાધો ફાંસો

પિતાના ઘેર ભરી લીધુ આત્મઘાતી પગલું:

                                                                                                                                                                                                      

જામનગર તા.રપ : જામનગરના એક પરિણીતાએ પતિની શંકા-કુશંકાથી કંટાળી ફોન ઉપાડવાનું બંધ કરતા ઝઘડા શરૂ થયા હતા. તેનાથી કંટાળી જઈ આ પરિણીતાએ ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે. તેણીના પિતાએ જમાઈ સામે દુષ્પ્રેરણા આપવા અંગે ફરિયાદ નોંધાવી છે.

જામનગરના રણજીત સાગર રોડ પર હર્ષદમીલની ચાલી નજીક પટેલનગર-૧માં રહેતા લાખાભાઈ ભાણાભાઈ ગોહિલ નામના પ્રૌઢની પુત્રી પૂજા (ઉ.વ.ર૭)ના લગ્ન બે એક મહિના પહેલાં મૂળ મોરબીના વતની અને હાલમાં ઉત્તરપ્રદેશમાં મેરઠમાં નોકરી કરતા ભાવેશભાઈ ખોડાભાઈ ચાવડા સાથે થયા હતા.

ત્યારપછી દોઢેક મહિના થી પૂજાબેન માતા-પિતાના ઘરે આવ્યા હતા. તે દરમિયાન પતિ ભાવેશ અવારનવાર વીડિયો કોલ કરી માનસિક ત્રાસ આપતો હતો. તેનાથી કંટાળી ગયેલા પૂજાબેને ફોન નહીં ઉપાડતા ભાવેશે શંકા કરવાનું શરૂ કરી ઝઘડા આરંભ્યા હતા. તેનાથી કંટાળી જઈ ગઈકાલે બપોરે પૂજાબેને પિતાના ઘેર એક ઓરડામાં આવેલા પંખામાં સાડી બાંધી ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે.

પુત્રીના આ પગલાંથી ડઘાઈ ગયેલા પિતા લાખાભાઈએ સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જમાઈ ભાવેશ ચાવડા સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે આત્મહત્યાની દુષ્પ્રેરણા આપવાનો ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh