Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જગત મંદિર પાસે ભિક્ષાવૃત્તિ બાળશ્રમિકોનું ચેકીંગ
ખંભાળિયા તા. ૨૫: ચાઈલ્ડ વેલ્ફેર કેર તથા પોલીસ દ્વારા દ્વારકામાં જગત મંદિરે ભિક્ષાવૃત્તિ કરતા ચાર સગીરો તથા એક બાળશ્રમિકને રેસ્કયુ કરાયા પછી બાળસુધાર ગૃહ તથા વિકાસ ગૃહમાં મોકલાયા છે.
દ્વારકા જિલ્લામાં ચાઈલ્ડ વેલ્ફેર કેર સોસાયટી તથા દ્વારકા જિલ્લા પોલીસ દ્વારા ગઈકાલે ફરિયાદના આધારે દ્વારકાધીશ મંદિર પાસે ચેકીંગ કરીને રેસ્કયુ કરાતા ત્યાંથી એક બાળા સહિત ચાર બાળકો જે ભિક્ષાવૃત્તિ કરતા હતા તે તથા અલગ વિસ્તારમાંથી એક બાળમજુર પણ મળી આવતા દ્વારકા પોલીસને સાથે રાખીને આ તમામને રેસ્કયુ કરાયા હતાં.
ખંભાળિયા ચાઈલ્ડ વેલ્ફેર કેરના પ્રેસિડેન્ટ એડવોકેટ ચંદ્રશેખર બુદ્ધભટ્ટીની સમક્ષ તેઓને રજુ કરતા તેમણે ચાર બાળકોને ખંભાળિયામાં જિલ્લા બાળ સુધારણા હોમમાં મોકલ્યા હતા જયારે બાળાને જામનગર સ્ત્રી વિકાસ ગૃહમાં મોકલવા વ્યવસ્થા કરવામાં આવી હતી.
બાળ શ્રમિક તથા બાળ ભિક્ષુકને બન્ને તંત્રો દ્વારા લઈ જવાતા મોટી સંખ્યામાં લોકોના ટોળા પણ ભેગા થયા હતા તથા એક તબકકે પોલીસને કડક થવું પડયું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial