Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં મહાપ્રભુજીનાં ૫૪૮ માં પ્રાકટ્ય મહોત્સવની શ્રદ્ધાપૂર્વક ઉજવણી

પૂ. વલ્લભરાયજી મહોદયની નિશ્રામાં યોજાયેલ શોભાયાત્રામાં મેયર સહિતનાં મહાનુભાવો અને વૈષ્ણવો જોડાયા

                                                                                                                                                                                                      

જામનગરમાં ચૈત્ર વદ એકાદશી અર્થાત વરૂથીની એકાદશી પર શ્રીમદ વલ્લભાચાર્ય મહાપ્રભુજીનાં ૫૪૮માં પ્રાકટ્ય મહોત્સવની શ્રી મોટી હવેલી દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. શ્રી મોટી હવેલીનાં ગાદિપતિ પુષ્ટી સિદ્ધાંત સંરક્ષણ શિરોમણી મહાકવિ પૂ.પા.ગો.શ્રી ૧૦૮ હરીરાયજી મહારાજની આજ્ઞા અને આશીર્વાદથી તથા પૂ.પા.ગો.શ્રી વલ્લભરાયજી મહોદયનાં પાવન સાંનિધ્યમાં સમગ્ર ધર્મોત્સવ ઉજવાયો હતો. ગઇકાલે સવારે મોટી હવેલીથી શ્રી મહાપ્રભુજીની બેઠક સુધી પ્રભાત ફેરી યોજાઇ હતી. બેઠકજીએ પાલખી યાત્રાનું પણ આયોજન થયું હતું.  સાંજે શ્રી મોટી હવેલીથી પૂ. વલ્લભરાયજી મહોદયનાં સાંનિધ્યમાં તથા પૂ. રસાર્દ્રરાયજી અને પૂ. પ્રેમાદ્રરાયજીની પ્રેરક ઉપસ્થિતિમાં શોભાયાત્રા નીકળી હતી.મેયર વિનોદભાઈ ખીમસૂર્યા, કોર્પોરેટર ગોપાલભાઈ સોરઠીયા સહિતનાં આગેવાનો શોભાયાત્રાનાં શુભ પ્રસ્થાન સમયે ઉપસ્થિત રહૃાા હતાં. માર્ગમાં ઠેર ઠેર શોભાયાત્રાનું સ્વાગત થયું હતું. શોભાયાત્રા વાણીયાવાડ, ચાંદીબજાર, માંડવી ટાવર, હવાઇ ચોક થઇ સત્યનારાયણ મંદિર રોડ પર આવેલ આકાશગંગા એપાર્ટમેન્ટવાળી શેરીમાંથી જલાની જાર તરફથી પસાર થઇ શ્રી મોટી હવેલી પરત પહોંચી સંપન્ન થઇ હતી.દિવ્ય શોભાયાત્રાનાં નગરભ્રમણથી સર્વત્ર 'શ્રી વલ્લભાધીશ કી જય હો' નો નાદ ગૂંજી ઉઠ્યો હતો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh