Advertisement
Author: નોબત સમાચાર

જોડિયામાં પાંચ દિવસે જળ વિતરણ, પાંચ વર્ષથી સ્ટ્રીટલાઈટો બંધઃ સુવિધાઓનો સદંતર અભાવ

જન પ્રધિનિધિઓ સામે જબ્બર જનાક્રોશઃ જોડિયા સરકારના વિકાસ નકશામાં જ નથી ?

                                                                                                                                                                                                      

જોડીયા તા. ૨૫: જામનગર જિલ્લાના જોડિયા ગામમાં ભર ઉનાળે પાંચ દિવસે પાણી વિતરણ થાય છે છેલ્લા ઘણાં સમયથી વહીવટદાર વહીવટ ચલાવે છે છેલ્લા પાંચ વર્ષથી જોડિયા શહેરમાં સમગ્ર વિસ્તારમાં સ્ટ્રીટલાઈટ બંધ છે જેની અનેકવાર રજુઆત ચૂંટાયેલા પ્રતિનિધિઓને કરેલ છતાંય કોઈ ઉકેલ આવતો નથી તેમજ દિવસે દિવસે જોડિયા પ્રત્યે એસ ટી નો અન્યાય જોવા મળી રહયો છે ઘણાં વર્ષોથી ચાલતી સવારે ૬ : ૦૦ વાગ્યે ઉપડતી જોડિયા અમદાવાદની બસ જે થોડા સમય પહેલા બંધ કરવામાં આવેલ આ બસમાં વેપારી ભાઈઓ વિધાર્થીઓને ખુબ જ ઉપયોગી બસ હતી અને આ બસ રાત્રે ૮ : ૩૦ વાગ્યે રાજકોટથી જોડિયા આવવા માટે મળતી હતી આ બસ બંધ થતા મુસાફરો હેરાન પરેશાન થઈ રહયા છે જેની અનેકવાર રજુઆત કરવા છતાં તંત્ર દ્વારા બસ શરૂ કરવામાં આવતી નથી જોડિયાને ભાંગવામાં એસ ટી તંત્રનો સિંહ ફાળો છે. જોડિયાના બસ સ્ટેન્ડમાં કંટ્રોલ પોઇન્ટ પણ નથી વિધાર્થીને પાસ કઢાવવા ધ્રોલ જવુ પડે છે.

જોડિયાના ચોરાશેરી તેમજ અનેક વિસ્તારમાં ભૂર્ગભ ગટરો છલકાય છે એક જમાનામાં જોડિયા બંદરની જાહોજલાલી હતી આજે સુવિધા નામે મીંડું કોઈ રોજગારી લોકોને મળતી હોવાથી દિન પ્રતિદિન માછીમારો પણ બહારગામ જતા રહે છે જોડિયામાં બહારગામથી કાપડ લેવા માણસોં આવતા હતા, જે બસની સુવિધા બંધ થતા એ પણ બંધ થઈ ગયા અને જોડિયાના મેમણ બંધુ વેપારીઓ ધ્રોલ, મોરબી, રાજકોટ તેમજ બહારગામ જતા રહયા છે દર મહિને બે ત્રણ કુટુંબ ધંધાઅર્થે બહારગામ જાય છે દિન પ્રતિદિન જોડિયા ભાંગતું જાય છે જોડિયા બંદર પુનઃ ચાલુ થાય તે માટે અનેકવાર ઉચ્ચ કક્ષાએ રજુઆત કરેલ છે. પરંતુ સરકાર દ્વારા કોઈ નિર્ણય લેવામાં આવતો નથી જોડિયા બંદર બારેમાસી બંદર છે, અહીંયા ડાયરેકટ શીપ લાગે છે, બંદરને થોડું ડ્રેઝીૅગ કરવાની જરૂર છે જોડિયાનું બંદર પુન : શરૂ થાય તો અનેક લોકોને રોજીરોટી મળે અને વિકાસ થાય આ અંગે ધારાસભ્ય, સંસદ સભ્ય, મુખ્યમંત્રી સહિત ઉચ્ચ કક્ષાએ લેખિત મૌખિક રજુઆત કરેલ છે જોડિયાના બસ સ્ટેન્ડમાં કંટ્રોલપોઇન્ટ ચાલુ કરવા પણ અનેકવાર રજુઆત કરવામાં આવેલ છે ઠેર ઠેર ગંદકી-કચરા જોવા મળી રહયા છે જોડિયાનો વિકાસ કે વિનાશ..? એવુ ગ્રામજનો કહી રહયા છે જોડિયાના અણઉકેલ પ્રશ્નો ઉકેલવા સમગ્ર જોડિયાના પ્રજાજનોની માંગણી ઉઠી છે. અનેક વ્યંગકારો દ્વારા રોષ સાથે ઉચ્ચારણો થઈ રહ્યા છે કે સરકારના વિકાસ નકશામાં જોડીયા છે જ નહી.. !

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh