Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. રપઃ જામનગરમાં શુક્રવારે સવારે ૮ વાગ્યે પૂરા થતા ચોવીસ કલાક દરમિયાન કોઈ વધારા કે ઘટાડા વગર મહત્તમ તાપમાન ૩૮.૬ ડીગ્રીએ સ્થિર રહ્યું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૬ ટકા વધીને ૮૩ ટકા રહ્યું હતું. ગઈકાલે સવારથી જ વતાવરણમાં ધીમે ધીમે ગરમી પ્રસરવા લાગી હતી અને બપોર સુધીમાં નભમાંથી જાણે અગનગોળા વરસી રહ્યા હોય તેવો આકરો તાપ અનુભવાયો હતો. આકરો તાપ અને બફારાના ડબલ એટેકથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. પરશેવે રેબઝેબ થઈને પ્રજાજનો ત્રાહિમામ્ પોકારી ઊઠ્યા હતાં.
તાપ અને બફારાની માઠી અસર લોકોના સ્વાસ્થ્ય પર પણ થઈ રહી છે. ખાનગી તથા સરકારી દવાખાના અને હોસ્પિટલોમાં પેટ તથા માથામાં દુઃખાવો, તાવ સહિતના કેસ વધારે નોંધાઈ રહ્યા છે. ગરમી સામે રક્ષણ મળે તે માટે લોકો એસી, એરકુલર તથા ઠંડાપીણાનો સહારો લઈ રહ્યા છે.
નગરમાં આજવે સવારે પૂરા થતા ચોવીસ કલાક દરમિયાન કોઈ વધારા કે ઘટાડા વગર લઘુતમ તાપમાનનો પારો ર૩.પ ડીગ્રીએ સ્થિર રહ્યો હતો. પવનની ગતિ પ્રતિકલાકની સરેરાશ ૩૦ થી ૩પ કિ.મી.ની રહેવા પામી હતી. તેજીલા વાયરાઓના પગલે સાંજથી પ્રજાજનોએ રાહત અનુભવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial