Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સિંધી ભાનુશાલી સમાજ મહાજન સરોવર ટ્રસ્ટના ઉપક્રમે
જામનગર તા.૩૧: જામનગર સિંધી ભાનુશાલી સમાજ મહાજન સરોવર ટ્રસ્ટ જામનગર દ્વારા પરમ પૂજનીય સંત શ્રી ડાડા શ્રી પારબ્રહમ દેવજીના જન્મોત્સવ 'છડી સાહેબ'નું ત્રિદિવસીય વિવિધ કાર્યક્રમો સાથે આયોજન કરવામાં આવ્યું છે જે મહોત્સવની શરૂઆત આઝાદી પહેલા ન અખંડ ભારતથી લઈ આજદિન સુધી ભારત અને હાલના પાકિસ્તાન દેશના સિંધમાં પણ ઉજવવામાં આવતો મહોત્સવ છે. જેમાં જામનગર સિંધી ભાનુશાલી સમાજની બન્ને પેટા સંસ્થાઓ ૫૯ દિગ્વિજય પ્લોટમાં આવેલ શ્રી સિંધી ભાનુશાલી સમાજ મહાજન સરોવર ટ્રસ્ટ, નાનો ટાંકો અને ૫૪ દિગ્વિજય પ્લોટમાં આવેલ શ્રી સિંધી ભાનુશાલી સમાજ મહાજન સરોવર ટ્રસ્ટ, મોટો ટાંકો, જામનગર દ્વારા તારીખ ૩૧ મે થી ૨ જૂન ત્રિદિવસીય સુધી આયોજન કરવામાં આવ્યું છે.
આ પ્રસંગે શ્રી સિંધી ભાનુશાલી સમાજ મહાજન સરોવર ટ્રસ્ટ,નાનો ટાંકો,૫૯ દિગ્વિજય પ્લોટ દ્વારા તારીખ ૩૧ મે શનિવાર સવારે ૦૮:૦૦ કલાકે કુળદેવીમાં હિંગળાજનું અને ૯ કલાકે ડાડા પારબ્રહમ દેવજીનું વૈદિક હવન, સવારે ૦૯:૩૦ કલાકે ધ્વજારોહણ, ૧૦ કલાકે બીડુ હોમવામાં આવશે જે બાદ મહાઆરતી અને બપોરે ૧૨:૩૦ કલાકે મહાપ્રસાદનું આયોજન સંપન્ન કરવામાં આવ્યું છે જે બાદ હવે સાંજે ૫ કલાકે ડાડા પારબ્રહમ દેવજીના પાવન રથ સાથે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જેમા વાજતે ગાજતે ડીજેના તાલે સમગ્ર જ્ઞાતિ સમૂહ જોડાઈ શોભાયાત્રા કાઢવામાં આવશે.બાદ અંતિમ દિવસે ડાડા પારબ્રહમ દેવજીના નિશાની છડી સાહેબને ગાદી સ્થાન આપી ત્રિદિવસીય નિતનેમ સત્સંગ ભજન કરવામાં આવે છે. બીજા દિવસે રાત્રિના અમદાવાદ ના મશહૂર કલાકાર મહાવીર ભગત અને તેની ટીમ દ્વારા ભજન ભક્તિભાવ સાથેનો મ્યુઝિકલ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જે બાદ મંગલ મુહૂર્ત અનુસાર વિધિ વિધાનથી પૂજા અર્ચન કરી છડી સાહેબને મૂળ સ્થાને નિજ મંદિરમાં સ્થાપિત કરવામાં આવશે.
સાંજે ૦૫:૦૦ કલાકે ડાડા પારબ્રહમ દેવજીના પાવન રથ સાથે શોભાયાત્રાનુ આયોજન છડી સાહેબ મહોત્સવ ના અંતિમ દિવસે સમાજના ગુરૂ મહારાજ કચ્છ સ્થિત ડાડા મેકરણ કાપડી આશ્રમના વર્તમાન ગાદીપતિ શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર ગુરૂ શ્રી મુળજી રાજા કાપડી મહારાજની મંગલ પધરામણી થશે જેમના પાવન સાનિધ્યમાં તા. ૨-૬-૨૦૨૫ સોમવારના સાંજે સત્સંગ અને ગુરુ આશીર્વાદના પાવનકારી ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જે બાદ મંગલ મુહૂર્ત અનુસાર વિધિ વિધાનથી પૂજા અર્ચન કરી છડી સાહેબને મૂળ સ્થાને નિજ મંદિરમાં સ્થાપિત કરવામાં આવશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial