Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૩૧: જામનગરની એક પેઢી પાસેથી વાર્ષિક ૧૨ ટકાના દરે બે મહિના માટે રૂ.૧ લાખ ૧૦ હજારનું ધિરાણ મેળવી એક આસામીએ ધિરાણની પરત ચૂકવણી માટે ચેક આપ્યો હતો. તે ચેક પરત ફર્યાની કરાયેલી ફરિયાદ ચાલી જતાં અદાલતે આરોપીને એક વર્ષની કેદ અને ચેકની રકમ મુજબનો દંડ ફટકાર્યાે છે. જામનગરમાં પિતૃકૃપા એન્ટરપ્રાઈઝ નામની નાણા ધિરધાર કરતી પેઢીવાળા તેજપાલસિંહ લખુભા ગોહિલ પાસેથી એક વર્ષ પહેલાં રૂ.૧ લાખ ૧૦ હજારનું દિનેશભાઈ થાનાભાઈ રેગર નામના આસામીએ ધિરાણ મેળવ્યા પછી તે રકમ પરત ચૂકવવા ચેક આપ્યો હતો. તે ચેક પરત ફરતા નોટીસ પાઠવાયા પછી અદાલતમાં ફરિયાદ કરાઈ હતી. તે કેસ જામનગરની ચીફ જ્યુડી. મેજી.ની કોર્ટમાં ચાલી જતાં અદાલતે ફરિયાદીના વકીલની દલીલો ગ્રાહ્ય રાખી આરોપી દિનેશ થાનાભાઈને તક્સીરવાન ઠરાવી એક વર્ષની કેદની સજા અને ચેકની રકમનો દંડ ફટકાર્યાે છે. ફરિયાદી તરફથી વકીલ ભાર્ગવ મહેતા રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial