Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગાંધીનગરથી નવાગામ થઈ સ્મશાન સુધીના માર્ગે ડી.પી. કપાત હેઠળ ૩૩૧ મિલકતોને તોડી પાડવા ચૂસ્ત બંદોબસ્ત સાથે
જામનગરમાં ગાંધીનગરથી નવાગામ થઈ સ્મશાન સુધીના માર્ગ પરથી ૩૩૧ મિલકતોને ડીપી કપાત અન્વયે તોડી પાડવાની કામગીરી આજે મહાનગરપાલિકા દ્વારા શરૂ કરવામાં આવી છે. આશરે સાડાત્રણ કિ.મી. વિસ્તારમાં આ કપાત કરવાથી લાખો ફૂટ જગ્યા ખાલી થશે જ્યાં ૧ર મીટરની પહોળાઈનો રસ્તો બનાવવામાં આવનાર છે. આ માટે જેસીબી, હિટાચી, ટ્રેક્ટર સહિતની મશીનરી, સાધનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ચૂસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આ કામગીરી શરૂ કરવામાં આવી છે અને તેની શરૂઆત દુકાનોથી કરવામાં આવી હતી. આ સમયે કોંગ્રેસના સ્થાનિક કોર્પોરેટર રચનાબેન નંદાણિયા અને અસરગ્રસ્તો દ્વારા પાડતોડ નહીં કરવા ઉગ્ર રજૂઆત-પ્રદર્શન કરવામાં આવતા પોલીસે તેમની અટકાયત કરી હતી. આ પહેલા પ્રદર્શનકારીઓ દ્વારા બે હાથ જોડીને વિનંતી પણ કરવામાં આવી હતી, પરંતુ તંત્રએ ડિમોલીશન કામગીરી શરૂ કરી દીધી હતી. આ સમયે એક અસરગ્રસ્ત પુરુષની તબિયત બગડતા તેઓ નીચે પડી ગયા હતાં, પરંતુ ત્યાં હાજર મેડિકલ ટીમે તરત જ તેમની તપાસણી સારવાર શરૂ કરી દીધી હતી. આ મેગા ડિમોલીશન સમયે લોકોના પણ ટોળા વળ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial