Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બફારામાં આંશિક રાહતઃ ભેજનું પ્રમાણ ૬૬ ટકાઃ
જામનગર તા. ૩૧: જામનગરમાં છેલ્લા ચોવીસ કલાકમાં વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૧ર ટકા ઘટીને ૬૬ ટકા રહ્યું હતું, જેના પગલે બફારામાં ઘટાડો થતા જનતાએ રાહત અનુભવી હતી. એક ડીગ્રીના વધારા સાથે મહત્તમ તાપમાન ૩૭ ડીગ્રી નોંધાયું હતું.
જામનગરમાં છેલ્લા ઘણાં દિવસથી વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૭૦ ટકાથી વધુ રહેતા અસહ્ય ઉકળાટની અનુભૂતિ પ્રજાજનો કરી રહ્યા હતાં, પરંતુ છેલ્લા ચોવીસ કલાકમાં ભેજનું પ્રમાણ
૧ર ટકા સુધી ઘટીને ૬૬ ટકા રહ્યું હતું. ભેજમાં થયેલા ઘટાડાના પગલે બફારાનું જોર પણ ઘટી જતા જનતાએ રાહત અનુભવી હતી.
નગરમાં છેલ્લા ચોવીસ કલાકમાં ૧ ડીગ્રીના વધારા સાથે મહત્તમ તાપમાન ૩૭ ડીગ્રી અને અડધા ડીગ્રીથી વધુ ઊંચકાયને લઘુતમ તાપમાન ર૮.પ ડીગ્રી નોંધાયું હતું. તાપમાનમાં થયેલા વધારાના પગલે બપોરે ગરમીના પ્રમાણમાં વધારો થયો હતો.
જામનગરમાં પવનની ગતિ પ્રતિકલાકની સરેરાશ ૪૦ થી ૪પ કિ.મી.ની રહેવા પામી હતી. તેજીલા વાયરાઓના પગલે સાંજથી વાતાવરણમાં ઠંડક પ્રસરતા જનતાએ રાહત અનુભવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial