Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અઠવાડિયામાં દેશભરમાં ૨૦૦૦થી વધુ નવા સક્રિય કેસોઃ દિલ્હીમાં પ્રથમ મૃત્યુ
નવી દિલ્હી તા. ૩૧: દેશભરમાં કોરોનાના સક્રિય કેસ ૨૭૦૦ને પાર પહોંચી ગયા છે. દિલ્હીમાં નવા વેરિઅન્ટથી પ્રથમ મૃત્યુ નોંધાતા તંત્ર એલર્ટ પર છે. કેરળમાં ઓમિક્રોન જેએન વેરિઅન્ટ એલએફ.૭નો પ્રકોપ વધ્યો છે. મહારાષ્ટ્રમાં સૌથી વધુ મૃત્યુ થયા છે. હોસ્પિટલોમાં ટેસ્ટિંગ વધારવા અને સાવચેતી રાખવા અપીલ કરાઈ છે.
દેશભરમાં કોરોના વાયરસના કેસમાં ફરી એકવાર ઝડપી વધારો જોવા મળી રહૃાો છે, જેના કારણે આરોગ્ય તંત્રમાં ચિંતા વ્યાપી છે. છેલ્લા એક અઠવાડિયામાં દેશભરમાં ૨,૦૦૦ થી વધુ નવા સક્રિય કેસ નોંધાયા છે, અને આ આંકડો હવે ૨,૭૧૦ પર પહોંચી ગયો છે. આ દરમિયાન, રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં કોરોનાના નવા વેરિઅન્ટને કારણે પ્રથમ મૃત્યુનો કેસ સામે આવતા ગંભીરતામાં વધારો થયો છે. દિલ્હીમાં એક ૬૦ વર્ષીય મહિલાનું દુઃખદ અવસાન થયું છે, જેને કોવીડ-૧૯ સાથે અન્ય ગંભીર બીમારી હતી.
દિલ્હી, નોઈડા અને ગાઝિયાબાદ સહિત દિલ્હી-એનસીઆર માં પણ કોરોના ઝડપથી ફેલાઈ રહૃાો છે. દિલ્હીમાં એક જ દિવસમાં ૫૬ નવા કેસ નોંધાયા છે, અને સક્રિય કેસની સંખ્યા ૨૦૦ ને વટાવીને ૨૯૪ પર પહોંચી ગઈ છે. શુક્રવારે ગુરુગ્રામમાં પણ ત્રણ નવા દર્દીઓ મળી આવ્યા હતા, અને છેલ્લા ૧૦ દિવસમાં શહેરમાં કુલ ૧૬ કોરોના સંક્રમિતો નોંધાયા છે. દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ ગઈકાલે જણાવ્યું હતું કે દિલ્હીની હોસ્પિટલોમાં કોવિડના ૧૯ દર્દીઓ દાખલ છે અને ચિંતા કરવાની કોઈ જરૂર નથી. જોકે, સતત વધી રહેલા કેસ અને નવા વેરિઅન્ટથી થયેલા પ્રથમ મૃત્યુ પછી, વહીવટીતંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે. હોસ્પિટલોમાં પરીક્ષણમાં વધારો કરવામાં આવ્યો છે. દેશમાં કોરોનાને કારણે જીવ ગુમાવનારા લોકોની કુલ સંખ્યા ૧૫ થઈ ગઈ છે, જેમાંથી મહારાષ્ટ્રમાં સૌથી વધુ ૬ મૃત્યુ નોંધાયા છે. ગુજરાતમાં પણ એક મૃત્યુ નોંધાયું છે, જેની વિગતોની રાહ જોવાઈ રહી છે.
કેરળમાં સક્રિય કેસની સંખ્યા ૭૨૭ પર પહોંચી ગઈ છે, જે છેલ્લા એક અઠવાડિયામાં ઝડપથી વધી છે. એવું કહેવામાં આવી રહૃાું છે કે, અહીં ઓમિક્રોનનો જેએન.૧ વેરિઅન્ટ અને તેના પેટા-વેરિઅન્ટ્સ જેમ કે એલએફ.૭ અને એનબી.૧.૮.૧ ના કેસ જોવા મળી રહૃાા છે. વિશ્વ આરોગ્ય સંગઠન (ડબલ્યુએચઓ) એ આ નવા પ્રકારોને 'ચિંતાજનક' માન્યા નથી, પરંતુ તેમને 'દેખરેખ હેઠળ રાખવામાં આવેલા પ્રકાર' તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યા છે. ડબલ્યુએચઓ અનુસાર, જેએન.૭ અને એનબી.૧.૮.૧ જેવા નવા વેરિઅન્ટ્સ વધુ ચેપી હોઈ શકે છે પરંતુ તે રસી લીધી હોય તેવા લોકો માટે ગંભીર બીમારીનું કારણ બનતા નથી.
રાજ્યવાર સ્થિતિ અને સાવચેતીના પગલાં:
છેલ્લા ૨૪ કલાકમાં દેશભરમાં ૫૧૧ નવા કેસ નોંધાયા છે, જ્યારે ૨૫૫ લોકો સાજા થયા છે અને ૭ લોકોએ જીવ ગુમાવ્યા છે. જાન્યુઆરી ૨૦૨૫ થી અત્યાર સુધીમાં ૧૧૭૦ લોકો કોરોનાને હરાવીને સાજા થયા છે. શુક્રવારે મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના ચેપના ૮૪ નવા કેસ નોંધાયા હતા, જ્યારે રાજસ્થાનમાં ૨૪ કલાકમાં ૧૫ નવા કેસ નોંધાયા હતા. જોકે, મોટાભાગના દર્દીઓમાં હળવા લક્ષણો જોવા મળ્યા છે, જે સામાન્ય શરદી-ખાંસી જેવા છે.
આરોગ્ય નિષ્ણાતો દ્વારા લોકોને સાવચેતી રાખવા અને ભીડવાળી જગ્યાઓએ ન જવા, માસ્ક પહેરવા, અને નિયમિત હાથ ધોવા જેવા કોવિડ-યોગ્ય વર્તનને અનુસરવાની સલાહ આપવામાં આવી રહી છે. રસીકરણ અને બૂસ્ટર ડોઝ લેનારા લોકો માટે ગંભીર બીમારીનું જોખમ ઓછું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial