Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ટેન્કરચાલક સામે પોલીસમાં કરાઈ ફરિયાદઃ
જામનગર તા. ૩૧: ઓખામંડળના આરંભડા ગામની ગાયત્રીનગર સોસાયટીમાં રહેતા એક વૃદ્ધના સ્કૂટરને સોમવારે બપોરે એક ટેન્કરે ઠોકર મારી દેતા ઘવાયેલા વૃદ્ધને વધુ સારવાર માટે જામનગર ખસેડવામાં આવ્યા છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખામંડળમાં આવેલા આરંભડા ગામની સીમમાં ગાયત્રીનગરમાં રહેતા પૂંજાભાઈ કારાભાઈ ડંડેચા નામના પ્રૌઢ ગયા સોમવારે બપોરે આંબેડકર સોસાયટી તરફ જવાના રોડ પરથી સ્કૂટરમાં પસાર થતા હતા.
આ વેળાએ જીજે-૧૮-એટી ૮૬૫૦ નંબરના ટેન્કરે તેઓને હડફેટે લીધા હતા. ફ્રેક્ચર સહિતની ઈજા પામેલા પૂંજાભાઈને સારવાર માટે દવાખાને લઈ જવાયા પછી વધુ સારવાર માટે જામનગર ખસેડાયા છે. તેમના પુત્ર મેઘજીભાઈએ મીઠાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial