Advertisement
Author: નોબત સમાચાર

જામનગર-વૈષ્ણોદેવી કટરા અને વેરાવળ- ગાંધીનગર ઈન્ટરસિટી મોડી ઉપડશે

આગામી તા. ૪ અને તા. ૧૧ જૂનની

                                                                                                                                                                                                      

રાજકોટ તા. ૩૧: રાજકોટ ડિવિઝનના રાજકોટ-બિલેશ્વર સેકશનમાં આવેલા બ્રિજ નંબર ૨૨૫ના ગર્ડર ફરીથી લગાવવા માટે એન્જિનિયરિંગ વિભાગ દ્વારા બ્લોક કરવામાં આવશે. આ બ્લોકના કારણે રાજકોટના ડિવિઝનમાંથી પસાર થતી બે ટ્રેનોના સમયપત્રકમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

જેમાં ટ્રેન નંબર ૧૨૪૭૭ જામનગર-વૈષ્ણોદેવી કટરા એક્સપ્રેસ તા. ૪-૬-૨૫ અને ૧૧-૬-૨૫ ના જામગરથી તેના નિર્ધારીત સમય ૮:૩૦ વાગ્યાના બદલે ૨ કલાક મોડી એટલેકે ૧૦:૩૦ વાગ્યે ઉપડશે. તેમજ ટ્રેન નંબર ૧૯૧૨૦ વેરાવળ-ગાંધીનગર કેપિટલ એકસપ્રેસ તા. ૪-૬-૨૫ અને ૧૧-૬-૨૫ના વેરાવળથી તેના નિર્ધારીત સમય ૭:૩૦ વાગ્યાને બદલે ૧ કલાક ૧૫ મિનિટ મોડી એટલે કે ૮:૪૫ વાગ્યે ઉપડશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh