Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં ગઈકાલે કોરોનાના વધુ પાંચ કેસ નોંધાતા તંત્રમાં દોડધામ

હાલમાં નગરમાં ૧પ એક્ટિવ કેસ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૩૧: જામનગરમાં કોરોનાનું સંક્રમણ ધીમા પગલે વધી રહ્યું છે. ગઈકાલે એક જ દિવસમાં વધુ પાંચ નવા કેસ નોંધાયા હતાં. આથી આરોગ્ય વિભાગની દોડધામ વધી જવા પામી હતી.

લાંબા સમયગાળા પછી દેશમાં કોરોનાએ ફરી વખત એન્ટ્રી કરી છે અને દેશના જુદા જુદા ગામમાં કોરોનાના કેસ નોંધાઈ રહ્યા છે.

ગઈકાલે જામનગરમાં જુદા જુદા વિસ્તારમાં પાંચ કેસ નોંધાતા આરોગ્ય વિભાગની દોડધામ મચી જવા પામી હતી.

કામદાર કોલોનીમાં ૩૪ વર્ષિય પુરુષ, ગુલાબનગરમાં ૩૭ વર્ષના પુરુષ, સરદાર ચોક (લાલપુર રોડ) માં ૬૦ વર્ષના વૃદ્ધ પુરુષ, દરેડ ફેસ-ર માં ૩૧ વર્ષના યુવાન અને પાણાખાણ-નવાનગરમાં ર૦ વર્ષની યુવતીનો સમાવેશ થાય છે. આ પાંચેય દર્દીને ઘરે જ સારવાર આપવામાં આવી રહી છે. એટલે કે કોઈને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા નથી.

આમ જામનગરમાં ૧૧ પોઝિટિવ કેસ હતાં, જેમાં પાંચ નવા કેસનો ઉમેરો થયો છે. એટલે કે હવે કુલ ૧૬ કેસ થયા તેમાં એક દર્દીને કોરોના મુક્ત જાહેર કરવામાં આવતા હાલ ૧પ એક્ટિવ કેસ જામનગર શહેરમાં છે અને તમામની તબિયત સારી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh