Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આજે અને આવતીકાલે પાણી વિતરણ બંધ રહેશેઃ
ખંભાળિયા તા. ૩૧: ખંભાળિયા શહેરના તમામ વિસ્તારોને પાણી વિતરણ જ્યાંથી જાય છે તે ઘી ડેમ પાણી પુરવઠા યોજના પાલિકાની મેઈન લાઈનો દર વર્ષે ચોમાસાની ઋતુમાં ભારે વરસાદ પડતા તથા પૂર આવતા ધોવાઈ જતી હોય, હાલ ચોમાસું હજુ શરૂ થયું નથી તથા ઘી ડેમ ખાલી જેવો છે ત્યારે જ પાલિકા તંત્ર દ્વારા આગોતરા આ મેઈનલાઈનોને નદીની અંદર ઊંડી એન્ક્રેસીંગ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
પાલિકા પ્રમુખ રચનાબેન મોટાણી, કારોબારી ચેરમેન રેખાબેન ખેતિયા તથા ચીફ ઓફિસર ચેતનભાઈ ડુડિયાના માર્ગદર્શનમાં પાલિકા ઈજનેર એન.આર. નંદાણિયા તથા તેમની ટીમ દ્વારા ઘી ડેમ પાસે તથા ગુલાબ ટેકરીના વિસ્તારમાં આ લાઈનો ઊંડી નાખવાની કાર્યવાહી શરૂ કરવામાં આવતા બે દિવસ કામ ચાલું રહેવાની સાથે પાણીની મેઈનલાઈન બંધ રહેતા તા. ૩૧/પ નું તથા ૧-૬-ર૦રપ નું પાણી વિતરણ બંધ રહેશે. તા. ૧-૬-ર૦રપ ના સાંજે કામ પૂર્ણ થઈ જતા રાત્રે જ પાણી પુરવઠાની તમામ ટેંકો ભરીને ફરીથી પાણી વિતરણ રાબેતા મુજબ એકાંતરા શરૂ કરવામાં આવશે. છેલ્લા ત્રણેક વર્ષથી પ્રતિવર્ષ ચોમાસામાં પૂરમાં લાઈનો તણાઈ જતા દિવસો સુધી પાણી વિતરણ બંધ રહેવા સાથે પાલિકાને લાઈનો તૂટતા ધોવાઈ જતા લાખોનું નુક્સાન થાય છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial