Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગાંધીનગરના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, નિયામક આયુષ વિભાગ (ગાંધીનગર) જિલ્લા આયુર્વેદ અધિકારીના માર્ગદર્શન હેઠળ ધુંવાવના સરકારી હોમીયોપેથી દવાખાનું, મોટા ઈંટાળાના સરકારી આયુર્વેદ દવાખાનું, મેઘપરના સરકારી આયુર્વેદ દવાખાનાના સંયુક્ત ઉપક્રમે ફલ્લામાં આયુષ સર્વ રોગ નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં રોગપ્રતિકારક ઉકાળાનું તેમજ સંશમની વટીનું વિતરણ કરાયું હતું. યોગ અંગે જાણકારી માટે પત્રિકાનું વિતરણ કરાયુ હતું. મેડિકલ ઓફિસર ડો. જીજ્ઞેશ સોનગરા, ડો. કશ્યપ ચૌહાણ, ડો. દેવેન્દ્ર ભીમાણીએ સેવા આપી હતી. આ કેમ્પમાં જિ.પં. સભ્ય કમલેશભાઈ ધમસાણીયા, સરપંચ લલીતાબેન, ધમસાણીયા, ઉપસરપંચ નિલેશભાઈ ધમસાણીયા, ગ્રામપંચાયતના સભ્યો, આગેવાનો, ડો. સુભાષભાઈ ધમસાણીયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial