Advertisement
Author: નોબત સમાચાર

ફલ્લામાં યોજાયો આયુષ નિદાન સારવાર કેમ્પ

                                                                                                                                                                                                      

ગાંધીનગરના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, નિયામક આયુષ વિભાગ (ગાંધીનગર) જિલ્લા આયુર્વેદ અધિકારીના માર્ગદર્શન હેઠળ ધુંવાવના સરકારી હોમીયોપેથી દવાખાનું, મોટા ઈંટાળાના સરકારી આયુર્વેદ દવાખાનું, મેઘપરના સરકારી આયુર્વેદ દવાખાનાના સંયુક્ત ઉપક્રમે ફલ્લામાં આયુષ સર્વ રોગ નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં રોગપ્રતિકારક ઉકાળાનું તેમજ સંશમની વટીનું વિતરણ કરાયું હતું. યોગ અંગે જાણકારી માટે પત્રિકાનું વિતરણ કરાયુ હતું. મેડિકલ ઓફિસર ડો. જીજ્ઞેશ સોનગરા, ડો. કશ્યપ ચૌહાણ, ડો. દેવેન્દ્ર ભીમાણીએ સેવા આપી હતી. આ કેમ્પમાં જિ.પં. સભ્ય કમલેશભાઈ ધમસાણીયા, સરપંચ લલીતાબેન, ધમસાણીયા, ઉપસરપંચ નિલેશભાઈ ધમસાણીયા, ગ્રામપંચાયતના સભ્યો, આગેવાનો, ડો. સુભાષભાઈ ધમસાણીયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh