Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળિયા તા. ૩૧: ખંભાળિયા શહેરમાં ઘી નદી તથા તેલી નદીમાં ગટરના ગંડા પાણી ભળતા થતી ગંદકીના પગલે રાજ્ય સરકાર દ્વારા ખાસ કેસમાં ર૭ કરોડના ખર્ચે નવી સુવિધા સાથેનો પ્રોજેક્ટ મંજુર કરતા આ પ્રોજેક્ટ કાર્યાન્વિત કરવા નદીની બન્ને તરફ ઘી તથા તેલી નદી બન્ને સ્થળે દબાણો હટાવવા જરૂરી હોય, બન્ને જગ્યાએ સોએક જેટલા આસામીઓને પાલિકા તંત્રએ નોટીસો આપી કડક કાર્યવાહી શરૂ કરતા ગઈકાલે બન્ને નદી વિસ્તારમાં દબાણ કરનારાઓ દ્વારા સ્વૈચ્છિક રીતે તેમની દીવાલો, મકાનો, દુકાનો જાતે જ પાડવાના શરૂ કરવામાં આવ્યા હતાં.
ખંભાળિયામાં ખામનાથ પુલ પાસે તથા મહાપ્રભુજી બેઠક વિસ્તાર, યોગેશ્વરનગર સહિતના વિસ્તારોમાં લોકોએ જાતે પોતાની દીવાલ, વંડા, મકાનો, દુકાનો તોડી પાડવા કાર્યવાહી કરતા પાલિકા તંત્ર દ્વારા જેસીબી મશીનનો સહયોગ અપાયો હતો.
ખંભાળિયા પાલિકા પ્રમુખ રચનાબેન મોટાણી, ચીફ ઓફિસર ચેતનભાઈ ડુડિયાના માર્ગદર્શનમાં પાલિકા ઈજનેર એન.આર. નંદાણિયા તથા તેમની ટીમ દ્વારા આ કાર્યવાહી થઈ હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial