Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પાલભાઈ આંબલીયા પણ રજૂઆતમાં જોડાયા
ખંભાળીયા તા. ૨: દેવભૂમિ દ્વારકામાં પ્રાંત અધિકારી દ્વારા લારી-ગલ્લા તથા પાથરણાવાળાને દબાણો હટાવવાના ભાગરૂપે હટાવાતા કેટલાક દિવસો સુધી લારી-ગલ્લાવાળા દ્વારા ઉપવાસ આંદોલન પછી ગઈકાલે મોટી સંખ્યામાં લારી-ગલ્લાવાળા તથા પાથરણાવાળાઓ દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપીને નિયત રકમની ફી ભરીને પોતાના ધંધા દ્વારા ગુજરાન ચલાવતા નાના ધંધાર્થીઓ લારી-ગલ્લા, પાથરણાવાળાને પરેશાન ના કરવા તથા છાસ વેચવાની મનાઈ, ઉંટ સવારીની દરિયાકીનારે મનાઈ જેવા નિયમો લાગુ કરીને તાજેતરમાં ડૂબતા લોકોને બચાવનાર ઉંટ સવારોનો ધંધો બંધ ના કરવા માંગ કરી હતી. જેમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પાલભાઈ આંબલીયા પણ જોડાયા હતા.
દ્વારકા જિલ્લા કલેકટર રાજેશ તન્ના દ્વારા આ બાબતે તપાસ કરવા કાર્યવાહી હાથ ધરી છે. જો કે, દ્વારકાનો સતત વિકાસ થતો હોય, યાત્રિકોની સંખ્યામાં પણ દિનપ્રતિદિન વધારો થતો જતો હોય છે ત્યારે રાજ્ય તથા કેન્દ્ર સરકારનું યાત્રિકોની સગવડતા વધે તે માટેના પ્રયત્નોનું દબાણ હોય છે ત્યારે જિલ્લા તંત્ર દ્વારા આ બાબતે પ્રયત્નો શરૂ થયા છે.
લારી-ગલ્લા, પાથરણાવાળા મંદિર જતા રસ્તાઓ પર ઉભે કે બેસે તો ટ્રાફિક સમસ્યા થાય, પણ અન્ય વિસ્તારોમાં બેસે તો ટ્રાફિક સમસ્યા ન થાય વળી, દ્વારકાના સમગ્ર વિસ્તારમાં પ્રાવસીઓ ફરતા હોય, તેમને ધંધો પણ મળી રહે તેવું હોય દ્વારકા જિલ્લા કલેકટર રાજેશ તન્ના દ્વારા દ્વારકા પ્રાંત અધિકારી તથા સંબંધિત અધિકારીઓ સાથે આ પ્રશ્ન હલ કરવા ચર્ચા પણ થઈ હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial