Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આવતીકાલથી બાબા બર્ફાનીના દર્શન ખૂલશે
જામનગર તા. રઃ બર્ફીલી પહાડીઓમાં બિરાજમાન બાબા બર્ફાની અમરનાથ મહાદેવના દર્શનનો આવતીકાલ તા. ૩ થી પ્રારંભ થઈ રહ્યો છે. જામનગરથી અમરનાથ જવા માટે પ્રથમ યાત્રીઓનો કાફલો ગઈકાલે રવાના થયો હતો.
અમરનાથ યાત્રાનો આવતીકાલ તા. ૩-જુલાઈથી પ્રારંભ થનાર છે. આ યાત્રા ૩૮ દિવસ સુધી ચાલનાર છે. પ્રતિવર્ષ દેશભરમાંથી લાખો શ્રદ્ધાળુઓ આ કઠીન યાત્રા કરીને દર્શન કરવા આવે છે.
જામનગરથી ગઈકાલે પ્રથમ કાફલો અમરનાથ યાત્રા માટે રવાના થયો છે. નગરના હિરેન હિરપરા, મનસુખભાઈ રાબડીયા, કિશોરભાઈ સંઘાણી સહિત યાત્રીઓએ હર-હર મહાદેવના નાદ સાથે અમરનાથની યાત્રાનો પ્રારંભ કર્યો હતો.
વિમાન માર્ગે જનારાઓ શ્રીનગર પહોંચ્યા છે. જ્યારે ટ્રેન મારફત જનારાઓ આજે મોડી સાંજે બાલતાલ પહોંચનાર છે. આવતીકાલે સવારે આ યાત્રાનો પ્રારંભ થનાર છે. મળતી માહિતી મુજબ જામનગરથી અત્યાર સુધીમાં સાડા સાતસો લોકોએ અમરનાથ યાત્રા માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial