Advertisement
Author: નોબત સમાચાર

હઝરત ઈમામ હુશેનની શહાદતમાં યોજાતા વાએઝ શરીફ

                                                                                                                                                                                                      

અરબસ્તાનના રણપ્રદેશ કરબલાની ભૂમિ પર યઝદ નામના બની બેઠેલા જુલ્મી શાસનકર્તા હાકેમના વીસ હજાર જેટલા હથિયારધારી લશ્કર સામે અલ્લાહના ખાસ નબીના દોહિત્ર હઝરત ઈમામ હુશેને પોતાના બોંતેર જાનીસાર - સાથીઓ સાથે હક્કની અને માનવ ભલાઈ કાજે સત્યની રાહમાં આપેલ શહાદતની કુરબાનીના વર્ષો વીત્યા છતાં આજે પણ ઈતિહાસમાં માનવ સમાજ માટે તેમની કુરબાની પ્રેરણાદાયી બની રહી છે. મોહર્રમના દિવસોમાં સત્યની જ્યોત પ્રજ્જવલિત કરનાર શહીદે આઝમ હઝરત ઈમામ હુશેનની શહાદતને યાદ કરી દુનિયાભરના મુસ્લિમો આજે પણ ગમગીન બની પોતાના અકિદતના પુષ્પો અર્પણ કરે છે. મુફતિ અકબર ખાન, હઝરત મૌલાના ગુલામ અહેમદ રઝા, મૌલાના સુલેમાન બરકાતી, મૌલાના સીદીક બરકાતી, મૌલાના ફૈઝુલ હસન રઝવી, મૌલાના મુસ્તાક બાપુ બ્લોચ અને મૌલાના ખાલીદ રઝા રઝવી રંગબેરંગી (રોશનીની અને મંડપ સજાવટ સાથે) વાએઝના પ્રોગ્રામમાં શહાદતના બ્યાન કરી રહ્યાં છે. જેને સાંભળવા હજ્જારોની સંખ્યામાં લોકો ઉપસ્થિત રહે છે. તે સમયે સલાતો-સલામ પછી મુસ્લિમ અકિદતમંદોને ન્યાઝ તકસીમ કરવામાં આવે છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh