Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મકાન ગિરવે મૂકી પૈસા ચૂકવ્યા પછી પણ હેરાન કરાયોઃ
જામનગર તા. ૨: જામનગર નજીકના નારણપર ગામના એક યુવાને બે વ્યાજખોરના ત્રાસથી જલદ પ્રવાહી પી લેતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. જ્યાંથી તેણે બંને સામે ફરિયાદ નોંધાવી છે. વ્યાજે લીધેલી રકમ ચૂકવવા મકાન ગિરવે રાખી દીધા પછી પણ વ્યાજખોરોએ કેડો નહીં મૂકતા આ યુવાને ઝેરના પારખા કર્યા છે. પોલીસે તેની ફરિયાદ પરથી ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.
જામનગર-સમાણા રોડ પર આવેલા નારણપર ગામમાં રહેતા અને રિક્ષા ડ્રાઈવીંગનો વ્યવસાય કરતા મિલનભાઈ પાલાભાઈ ખરા (ઉ.વ.ર૭) નામના યુવાને સોમવારે સાંજે પોતાના ઘરે કોઈ ઝેરી પ્રવાહી ગટગટાવ્યું હતું.
આ યુવાનને સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા પછી પોલીસે તેઓનું નિવેદન નોંધ્યું છે. જેમાં મિલનભાઈએ જણાવ્યા મુજબ પાંચેક વર્ષ પહેલાં તેઓએ નારણપર ગામના જ કલ્પેશ કાંતિભાઈ ચાંદ્રા ઉર્ફે લાલા પાસેથી રૂ.૧ લાખ ૪૦ હજાર દસ ટકા વ્યાજે લીધા હતા. તે પછી બેએક વર્ષ પહેલાં દિનેશભાઈ લખુભાઈ નંદા પાસેથી રૂ.પ૦ હજાર દસ ટકાના વ્યાજે લીધા હતા.
બંને વ્યક્તિને દર મહિને વ્યાજ ચૂકવતા રહેતા મિલનભાઈ ક્યારેક સમય ચૂકી જતા હતા તેથી અવારનવાર કલ્પેશ તથા દિનેશભાઈ ધાકધમકી આપતા હતા. તે દરમિયાન સોમવારે સાંજે મિલનભાઈ પોતાના ઘરે હતા ત્યારે ત્યાં જઈ બંને શખ્સે ગાળો ભાંડતા અને ઉઘરાણી કરતા કંટાળી જઈ મિલનભાઈએ જલદ પ્રવાહી પી લીધુ હતું. તેઓએ ફરિયાદમાં જણાવ્યા મુજબ બંને વ્યાજખોરને પૈસા આપવા માટે મિલનભાઈએ પોતાનું મકાન નોર્થન ફાયનાન્સ નામની પેઢીમાં ગિરવે મૂક્યા પછી તેમાંથી મળેલી રૂ.૩ લાખની રકમ કલ્પેશને આપી હતી અને રૂ.૫૦ હજાર દિનેશભાઈને આપી દીધા હતા. તેમ છતાં વ્યાજની માગણી કરી આ શખ્સો રૂબરૂ અથવા ફોન પર ધમકાવતા હતા. પોલીસે આ કેફિયત પરથી ગુન્હો નોંધી બંને શખ્સની ધરપકડ માટે તજવીજ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial