Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઓળખ આપવા નાગરિકોને પોલીસનો અનુરોધઃ
જામનગર તા. ૨: જામનગરની જી.જી. હોસ્પિટલમાં આવેલા જાહેર શૌચાલય પાસેથી ગઈકાલે બપોરે એક અજાણ્યા મહિલા બેભાન હાલતમાં મળી આવ્યા પછી તબીબોએ તેઓને મૃત્યુ પામેલા જાહેર કર્યા છે. પોલીસે મૃતકની ઓળખ મેળવવા તજવીજ હાથ ધરી છે.
જામનગરની જી.જી. હોસ્પિટલમાં આવેલા શૌચાલય પાસેથી ગઈકાલે બપોરે પચ્ચાસેક વર્ષના એક અજાણ્યા પ્રૌઢા બેભાન જેવી હાલતમાં જોવા મળતા તેઓને કોઈએ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડયા હતા.
જ્યાં ફરજ પરના તબીબે આ પ્રૌઢાને ચકાસ્યા પછી મૃત્યુ પામેલા જાહેર કરતા મોમાઈનગરમાં રહેતા સામાજિક કાર્યકર હિતેશગીરી ગોસાઈએ પોલીસને જાણ કરી છે. પીએસઆઈ જે.પી. સોઢાએ મૃતદેહને પી.એમ. માટે ખસેડી મૃતક મહિલાની ઓળખ મેળવવા તપાસ શરૂ કરી છે. ઉપરોક્ત તસ્વીરવાળા મહિલા અંગે કોઈને જાણકારી હોય તો તેઓએ ૦૨૮૮-૨૫૫૦૨૪૪ અથવા ૯૩૭૪૧૮૭૯૯૫નો સંપર્ક કરવો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial