Advertisement
Author: નોબત સમાચાર

મહિલાને ચોકલેટ ખવડાવવા અંગે બ્લેકમેઈલ કરવાના કિસ્સામાં જામીન

ફરિયાદ ૧૭ દિવસ મોડી કરવાનું યોગ્ય કારણ જણાવાયું નથીઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨: જામનગરના એક મેમણ અગ્રણીને બ્લેકમેઈલ કરવાના આરોપસર ઝડપાયેલા બે શખ્સને અદાલતે જામીન પર મુક્ત કરવાનો હુકમ કર્યાે છે.

જામનગરના સુભાષ શાક માર્કેટ વિસ્તારમાં વ્યવસાય કરતા મેમણ સમાજના અગ્રણી રાજુભાઈ મેમણ નામના વેપારીએ થોડા દિવસ પહેલાં એક દુકાનમાં પોતાના સ્ત્રી મિત્રને ચોકલેટ ખવડાવી હતી. તે દૃશ્ય આ દુકાનના સીસીટીવીમાં કંડારાયા પછી ડ્રાયફ્રૂટ તથા ચોકલેટની દુકાન ચલાવતા અબ્દુલસતાર ઉર્ફે અબુ કાસમ લાખાણી અને સમીર ફારૂકભાઈ રાવકરડાએ રૂ.૫૦ હજાર પડાવી લીધાની અને તે પછી બીજા વીડિયોના આધારે રૂ.૧ લાખ પડાવવાની કોશિષ કર્યાની પોલીસમાં ફરિયાદ કરાઈ હતી.

તે ફરિયાદના આધારે પોલીસે વેપારી અબ્દુલ સતાર લાખાણી અને સમીર રાવકરડાની ધરપકડ કરી હતી. અદાલતમાં રજૂ કરાયેલા બંને આરોપીએ જામીનમુક્ત થવા કરેલી અરજીમાં તેમના વકીલ જયન ગણાત્રા, ઉમર લાકડાવાલાએ દલીલ કરી હતી કે, સત્તર દિવસ પછી ફરિયાદ કરવાનું યોગ્ય કારણ જણાવાયું નથી અને રૂ.૫૦ હજારની માગણી કરાતા જ તે પૈસા આપી દીધાની વાત શંકાથી ઘેરાયેલી છે. અદાલતે તે દલીલ ગ્રાહ્ય રાખી આરોપી અબ્દુલસતાર તથા સમીરને જામીનમુક્ત કર્યા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh