Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આમઆદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ દ્વારા વિજિલન્સ તપાસની માંગણી
જામનગર તા. ૨: ગુજરાતના અન્ય જિલ્લામાં મનરેગા યોજનામાં વ્યાપક ભ્રષ્ટાચારના ભાંડા ફૂટ્યા છે, ત્યારે જામનગર જિલ્લામાં પણ મનરેગા યોજના હેઠળ થયેલા કામોમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાનો ગંભીર આક્ષેપ કરી આમઆદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ વશરામભાઈ રાઠોડે વિજિલન્સ તપાસની માંગણી કરી છે.
ગુજરાતના મુખ્યમંત્રી સહિત ઉચ્ચકક્ષાએ પાઠવેલા આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર ભારત સરકાર દ્વારા ગ્રામ્ય વિસ્તારના ગરીબ પરિવારોને રોજીરોટી મળી રહે તે માટે મનરેગાની કલ્યાણકારી યોજના અમલમાં છે. પરંતુ હાલના સમયમાં ગુજરાત રાજ્યમાં મનરેગા યોજનામાં વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચારની વ્યાપક ફરિયાદો ઉઠી છે. તેમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયાના પુરાવા પણ મળ્યા છે અને ઘણાં બધા લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે. જામનગર જિલ્લામાં પણ મનરેગા યોજના હેઠળ થતા કામોમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયાની જાણકારી મળેલ છે.
વર્ષ ૨૦૨૦-૨૧ થી ૨૦૨૪-૨૫ સુધી જામનગર જિલ્લામાં મનરેગા યોજના હેઠળ થયેલા તમામ કામોની વિજિલન્સ તપાસ કરવામાં આવે અને આવા ભ્રષ્ટાચારમાં જે કોઈ અધિકારીઓ, વહીવટીદારો, કે એજન્સીના કોન્ટ્રાકટરો અથવા તેમના મળતીયાઓ સામેલ હોય, તેમની સામે ભારતીય ન્યાય સંહિતા મુજબ ફરિયાદ કરવામાં આવે તેવી માંગણી છે. જો યોગ્ય તપાસ કરવામાં ન આવી તો આવનારા સમયમાં જનતાને સાથે રાખી ક્રાંતિકારી આંદોલનરૂપી ક્રાંતિ કરવામાં આવશે તેવી ચીમકી આપવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial