Advertisement
Author: નોબત સમાચાર

વચગાળાના જામીન પર મુક્ત થયા પછી ફરાર આરોપીને દબોચી લેતી એલસીબી

છ વર્ષ પહેલાં નોંધાયો હતો હત્યાનો ગુન્હોઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨: જામનગરના સાતરસ્તા સર્કલ પાસે વર્ષ ૨૦૧૯માં એક યુવાનની થયેલી હત્યાના આરોપસર ઝડપાયેલા ઢીંચડાના શખ્સે વચગાળાના જામીન પર મુક્ત થયા પછી પોબારા ભણ્યા હતા. તેને એલસીબીએ પકડી પાડ્યો છે.

જામનગરના સાતરસ્તા નજીક વર્ષ ૨૦૧૯માં એક યુવાનની હત્યા થઈ હતી. તેની પોલીસમાં ફરિયાદ થયા પછી પોલીસે તપાસ દરમિયાન જામનગર નજીકના ઢીંચડા નજીકના અલ્તાફ વલીમામદ નાઈ નામના શખ્સની પણ ધરપકડ કરી હતી.

આ શખ્સને જેલહવાલે કરાયા પછી થોડા સમય પહેલાં આ શખ્સે વચગાળાના જામીન મેળવ્યા હતા. આ આરોપીએ નિયત સમય પૂર્ણ થયા પછી જેલમાં હાજર થવાનું હતું પરંતુ તે નાસી ગયો હતો. ઉપરોક્ત આરોપી એરફોર્સ રોડ પર મહાલક્ષ્મી સર્કલ પાસે આવ્યો હોવાની બાતમી મળતા દોડી ગયેલા એલસીબીએ સ્ટાફે ત્યાંથી તેને દબોચી લઈ જેલહવાલે કરવાની તજવીજ કરાઈ છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh