Advertisement
Author: નોબત સમાચાર

જમ્મુથી અમરનાથ યાત્રાને લેફ.જન. મનોજ સિંહાએ લીલીઝંડી બતાવી કરાવ્યુ પ્રસ્થાન

પહલગામ હુમલો તથા હેલિકોપ્ટર સેવાના અભાવે ગુજરાતી યાત્રિકો ઘટી ગયા

                                                                                                                                                                                                      

જમ્મુ તા. ૨: અમરનાથ યાત્રાને એલજી મનોજ સિન્હાએ લીલીઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું છે. આ વખતે વિવિધ કારણે ગુજરાતી શ્રદ્ધાળુઓમાં ઘટાડો નોંધાયો છે.

અમરનાથ યાત્રા માટે લોકો આજે જમ્મુથી રવાના થઈ રહૃાા છે. ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ ભગવતી નગર બેઝ કેમ્પથી યાત્રાને લીલી ઝંડી આપી છે. યાત્રીઓ બપોર પછી કાશ્મીર ઘાટી પહોંચશે, જોકે, મોટાભાગના લોકોની યાત્રાની શરૂઆત કાલથી થશે. ૩૮ દિવસ ચાલનારી આ યાત્રા પહલગામ અને બાલાટાલ બંને રૂટથી થશે. જમ્મુ-શ્રીનગર રાષ્ટ્રીય રાજમાર્ગ (એનએચ-૪૪) સહિતના રૂટ પર સુરક્ષા વધારી દેવામાં આવી છે.

યાત્રાનું સમાપન ૯ ઓગસ્ટે રક્ષાબંધનના દિવસથી થશે. કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે અમરનાથ યાત્રા માટે યાત્રીઓના પહેલો સમૂહ જમ્મુથી રવાના થઈ ગયો છે.

જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ કહ્યુ હતું કે, આજે આખી દુનિયા અમરનાથ યાત્રા પર નજર રાખી રહી છે અને કોઈ પણ જોખમ ભક્તોની શ્રદ્ધાને ડગમગાવી નહીં શકે.' એલજી સિન્હાએ દાવો કર્યો હતો કે આ વર્ષની અમરનાથ યાત્રા પાછલા બધા વર્ષો કરતાં વધુ ઐતિહાસિક હશે અને તેમના માટે તે જમ્મુ અને કાશ્મીરના પ્રાચીન ગૌરવને પુનઃસ્થાપિત કરવાની તક છે.

બાબા બર્ફાનીના દર્શન માટે અમરનાથ યાત્રાનો આગામી ૩ જુલાઈથી પ્રારંભ થવા જઈ રહૃાો છે. પહલગામમાં થયેલા આતંકી હુમલા તેમજ આ વખથી હેલિકોપ્ટર સુવિધા બંધ રાખવામાં આવી હોવાથી ગુજરાતથી યાત્રાળુઓમાં ૮ ગણાથી વધુનો ઘટાડો નોંધાયો છે. ગુજરાતમાંથી આ વખતે પાંચ હજાર જેટલા જ શ્રદ્ધાળુઓ અમરનાથમાં દર્શન કરવા જાય તેવી સંભાવના છે.

તા. ૯ ઓગસ્ટ સુધી યોજાનારી અમરનાથ યાત્રામાં ૩.૫૦ લાખથી શ્રદ્ધાળુઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. પરંતુ, એપ્રિલમાં પહલગામ પ્રવાસીઓ પરના આતંકી હુમલા બાદ અમરનાથ માટે રજિસ્ટ્રેશન કરાવનારા યાત્રાળુઓની સંખ્યા ઘટીને ૮૫ હજાર થઈ ગઈ છે. ગત વર્ષે અમરનાથ યાત્રામાં ૫.૧૦ લાખથી વધુ શ્રદ્ધાળુઓ નોંધાયા હતા, જે છેલ્લાં એક દાયકામાં સૌથી વધુ હતા. સામાન્ય રીતે વિવિધ સંઘો ગુજરાતથી અમરનાથ યાત્રાએ જતા હોય છે. આ વખતે આવા સંઘોમાં પણ ઘટાડો નોંધાયો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh