Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જગન્નાથ કલ્ચરલ એસોસિએશન દ્વારા
જામનગર તા. ૨: જામનગર શહેરમાં મેહુલ સિનેમેકસ પછી બાજુની શેરીમાં આવેલ ભગવાન જગન્નાથજીના મંદિરમાં અષાઢીબીજે ભકતોની દર્શન માટે ભારે ભીડ હોય છે, આ મંદિરમાં મુખ્ય મૂર્તિ ભગવાન જગન્નાથજીની છે ઉપરાંત ગણેશજી, હનુમાનજી, લક્ષ્મીજી, વિમળાજી, રાધા-કૃષ્ણ અને દેવોના દેવ મહાદેવની મૂર્તિ પણ સ્થાપવામાં આવી છે. અહીં અનેક વખત ભજન-કીર્તન-આરતી, ભકતો માટે મહાપ્રસાદનો કાર્યક્રમ યોજવામાં આવે છે.
તા. ૮ સુધી અલગ-અલગ કાર્યક્રમોને પૂજા-અર્ચન થશે. આ સંસ્થામાં શ્રીમંતકુમાર પાલ (પ્રમુખ), શશીકુમાર શેટી (ઉપપ્રમુખ), ભગવાન પટનાયક (મંત્રી), ગંગાઘર સ્વાઈન (સહમંત્રી) અને રજત પાંડા (ખજાનચી) તરીકે સેવા આવી રહ્યા છે, આવતા વર્ષથી આ મંદિરેથી ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવશે. તેમ પ્રમુખ શ્રીમંતકુમાર પાલે જણાવ્યું હતું. લોકો જય જગન્નાથનો નાદ કરી રહ્યા છે ભગવાન જગન્નાથ, સુભદ્રાજી અને બલભદ્રની મૂર્તિ પણ સ્થાપીત કરવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial