Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પૂરાતત્વ વિભાગે એકાદ વર્ષ પહેલા સર્વે સ્કેનિંગ કર્યું છતાં
દ્વારકા તા. ૨: ભારતના પશ્ચિમ છેવાડે હજારો વર્ષ પૂર્વે ભગવાન શ્રીકૃષ્ણે વસાવેલી દ્વારકા નગરીમાં ભગવાન દ્વારકાધીશ જગતમંદિરના શિખરના જીર્ણોદ્ધારની વારંવાર રજૂઆતો કરાયા પછી ભારતીય પુરાતત્વ વિભાગ દ્વારા મંદિર શિખરના જર્જરીત ભાગોના પુનઃ જીર્ણોદ્ધાર માટેની કામગીરીનો સર્વે આજ થી આશરે એક વર્ષ પહેલા ગત જૂન માસમાં કરવામાં આવેલ અને મંદિરના શિખરનું સ્કેનિંગ પણ કરવામાં આવેલ. જો કે, ત્યાર પછી હજુ સુધી કોઈ નક્કર કામગીરી હાથ ધરવામાં નથી આવી. ત્યારે પુનઃ જીર્ણોદ્ધારની કામગીરી ક્યા કારણોસર અટવાયેલી છે અને ક્યારે શરૂ કરવામાં આવશે તેવા પ્રશ્નો ઉઠવા પામ્યા છે.
ભારતીય પુરાતત્વ વિભાગની દિલ્હી સ્થિત વડી કચેરીના ડીરેક્ટર જનરલ વાય.એમ.રાવતના માર્ગદર્શન અને સૂચના મૂજબ રાજકોટની ભારતીય પુરાતત્વ વિભાગની સર્કલ કચેરીના માર્ગદર્શન હેઠળ આર્કોલોજીની ટીમના આઠ જેટલા એન્જિનીયર્સે ગત વર્ષે જૂન મહિનામાં કરેલી વીઝીટ દરમ્યાન જગતમંદિરના ફલોરીંગથી લઈને લાડવા ડેરા તથા શક્તિ માતાજીના મંદિર સુધીના મજલા અને ધ્વજાજીના દંડ સુધીના મજલા ઉપર ત્રણ ટીમ બનાવીને ૩૬૦ ડિગ્રી સહિતના સાધનો સાથે હાલની મંદિરની કંડોરાયેલી શિલ્પ કલાઓનું સ્કેનિંગ કરાયું હતું. અને આ સ્કેનિંગના કરેલા ડેટાના આધારે થયેલા મંદિરના જીર્ણ થયેલ વિવિધ ભાગોનું સ્થાપિત પત્થરોને અનુરૂપ મંદિરનો પુનઃ જીર્ણોદ્ધાર થાય તેના ઉપર પૂરતું ધ્યાન કેન્દ્રીત કરવામાં આવનાર હતું. પરંતુ આ અંગે હજુ સુધી કામગીરી શરૂ થયેલ હોવાનું સ્થળ પરની વર્તમાન સ્થિતિમાં જણાતું નથી.
ફ્લોરીંગમાં પથરાયેલ કલાત્મક પત્થરો જે જીર્ણ હાલતમાં હોય તેમજ મંદિરના ગ્રાઉન્ડ ફલોરમાં આવેલ સભામંડપ તથા નિજમંદિર સહિતના ભાગોમાં પણ જીર્ણ થયેલ પત્થરોની જગ્યાએ નવા પત્થરો વડે જીર્ણોદ્ધાર કરવાનું નક્કી કરાયું હતું.
આ કામગીરી માટે કેન્દ્ર સરકાર દ્વારા રૂપીયા ૧૮ કરોડનો ખર્ચ અંદાજવામાં આવ્યો હતો. આમ છતાં હજુ સુધી કાગજી કાર્યવાહી સિવાય નક્કર કામગીરી દેખાતી ન હોવાનું જણાઈ રહ્યું છે, તેથી સવાલો ઉઠી રહ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial