Advertisement
Author: નોબત સમાચાર

એકયુપ્રેશર, સુજોક, મેગ્નેટ પદ્ધતિના પાંચ દિવસીય કેમ્પ

કેશવજી અરજણ લેઉવા પટેલ સેવા સમાજમાં

જામનગર તા. ૧૧ઃ જામનગરના કેશવજી અરજણ લેઉવા પટેલ સેવા સમાજ, રણજીતનગરમાં તા. ૧૨.૪.૨૫થી તા. ૧૬.૪.૨૫ સુધી એયુપ્રેશર, સુજોક અને મેગ્નેટ પદ્ધતિનો પાંચ દિવસીય સારવાર કેમ્પ યોજવામાં આવ્યો છે.

આ કેમ્પમાં ચીકનગુનિયા, જુના સાંધાનો દુખાવો, કમર દર્દ, પેટના રોગ, માઈગ્રેન, પેરેલાઈસ, બીપી, સુગર, જાડાપણું, આંખ, કાન, ગળુ અને દરેક બિમારીઓનો ઈલાજ વગર દવા (હાથ પગની નાડીઓ દબાવીને) કરવામાં આવશે. આ કેમ્પનો લાભ લેવા પ્રમુખ મનસુખભાઈ રાબડીયા દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

આ કેમ્પમાં ડો. રામ મનોહર લોહીયા એકયુપ્રેશર આરોગ્ય જીવન સંસ્થાનના નિષ્ણાત ડો. સુમનકુમાર, ડો. વિક્રમસિંહ, ધરમપાલ બિશ્નોઈ સેવા આપશે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh