Advertisement
Author: નોબત સમાચાર

નગરમાં શ્રી મહાલક્ષ્મી માતાજીનો યોજાયો અષ્ટમી હવન

શ્રીમાળી યજુર્વેદ બ્રાહ્મણ જ્ઞાતિના કલ્યાણાર્થે

જામનગર તા. ૧૧ઃ સ્વ. પુષ્પાબહેન શાંતિલાલ દવેના પૌત્ર ( અમેરિકા)  ભાવિક તથા હાર્દિકની મનોભાવનાથી જામનગરમાં શ્રીમાળી યજુર્વેદ બ્રાહ્મણ જ્ઞાતિમાં શ્રી મહાલક્ષ્મી માતાજી સન્નમુખ હવન અષ્ટમી તા.૫-૪-૨૫ શનિવારના દિને જ્ઞાતિ તથા જ્ઞાતિજનોના કલ્યાણ અર્થે માતાજીનો હવન રાખવામાં આવ્યો હતો.

આચાર્ય  શાસ્ત્રી ચંદ્રેશ કુમુદચંદ્ર શુક્લએ વિદ્વત બ્રાહ્મણોની ટીમ સાથે હવન કર્મ કરાવ્યું હતું. આ ધાર્મિક આયોજનને સફળ બનાવવા જ્ઞાતિ પ્રમુખ કિરીટ ભટ્ટ, મહિધર શુક્લ, હિતેશ દવે, જીતેન્દ્ર દવે, અશ્વિન શુક્લ વિપુલ દવે (ગુરૃ) ભરત શુક્લ, સતીષ દવે હરકિશન પાઠક તથા જ્ઞાતિના અન્ય કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી.

હવનનો સંપૂર્ણ ખર્ચ અમેરિકા સ્થિત દિનેશભાઇ શાંતિલાલ દવે પરિવારે, માતાજીને ફળ-ફ્રુટનું નૈવેદ્ય બેંગ્લોર સ્થિત હરીશભાઇ લાભશંકર દવે તરફથી, માતાજીની સોહામણા મોંઘામુલની ચૂંદડીની સેવા સ્વ. યશવંતરાય પ્રણલાલ શુક્લ પરિવાર તરફથી અર્પણ કરવામાં આવી હતી. તેમ મંદિર સમિતિ-સભ્ય મહિધર કાંતિલાલ શુક્લે જણાવ્યું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh